SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં પ્રથમ છ વર્ષ ૧૪૧ નાગસેન નામના ગૃહસ્થ બાર વરસે પિતાને પુત્ર પરદેશથી હેમખેમ પાછો ફર્યો. હેવાથી ઉત્સવ કર્યો હતો. ત્યાં ભિક્ષા લાવ્યા બાદ મહાવીર શ્વેતાંબી નગરી તરફ ચાલ્યા. ત્યાં પ્રદેશી નામે રાજા રાજ્ય કરતો હતો. તપસ્વી મહાવીરને જોઈ આકર્ષાયેલા રાજાએ તેમનું ઠીકઠીક સન્માન કર્યું. બુદ્ધ જ્યારે ગૃહત્યાગ કરીને નીકળ્યા હતા, ત્યારે ભિક્ષા માટે રાજગૃહમાં જતાં અગાસીમાં બેઠેલા ત્યાંના રાજ બિંબિસાર (શ્રેણિક) ની નજરે પડ્યા હતા. તેમની તેજસ્વી તથા સુમધુર આકૃતિ જોઈ આકર્ષાયેલા તે રાજાએ તેમની પાછળ પાછળ પિતાનો માણસ મોકલી તે ક્યાં ઊતર્યા છે તે જાણી લીધું, અને ત્યાર બાદ જાતે દૂર પર્વતતળેટીમાં તેમને મળવા ગયો. ત્યાં તેમની તેજસ્વી કાંતિ ઉપરથી તેમને ક્ષત્રિયકુળમાં જન્મેલા માની, તેણે તેમને નાની ઉમરમાં રાજ્યશ્રી છોડી કઠેર સન્યાસ સ્વીકારવાનું કારણ પૂછ્યું, તથા જે તે સંન્યાસ છોડી દે, તે પિતાના સૈન્યમાં ક્ષત્રિયને ઉચિત ઊંચી પાયરીએ ચડાવવાની લાલચ પણ આપી. પછી બુદ્ધને જવાબ સાંભળી તે રાજાને તેમના ઉપર ભક્તિભાવ પેદા થયે, અને તેણે તેમને લલચાવવાનું છોડી, વિનંતિ કરી કે, “હે રાજકુમાર ! તમને જે કદી પણ જગદુદ્ધારને માર્ગ જડે, તે સૌથી પહેલું મારું વિહારદાન તમારે સ્વીકારવું.” બુદ્ધે તે વાત કબૂલ રાખી હતી. મહાવીરની બાબતમાં પણ આ પ્રદેશ રાજાની મુલાકાત એક રાજા સાથેની તેમની પહેલવહેલી મુલાકાત હતી. ભયંકર સર્ષ જેવા પ્રાણી ઉપર પણ પ્રભાવ પાડી શકે તેવા પ્રતાપવાળા મહાવીરને દેખી પ્રદેશી જેવો રાજા તેમના પ્રત્યે આકર્ષાય એ નવાઈની વાત નથી. પરંતુ જૈન કથાકારે આ મુલાકાતને એક લૂખી વિગત તરીકે નોંધીને અટકી જાય છે. મહાવીર ત્યાંથી નીકળી સુરભિપુર તરફ ચાલ્યા. માર્ગમાં પ્રદેશ રાજાને મળવા પાંચ રથમાં બેસીને આવતા નયક ગોત્રી
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy