SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રી મહાવીર કથા સર્પને, રાફડામાં મેં ઘાલીને સ્થિર પડેલે તેમણે જે; જેથી કોઈને દેખી, કરડવા દડવાનું પોતાને મન ન થાય! જોકે આ કૌતુક જેવા ટોળાબંધ આવવા લાગ્યા. કેટલીક સ્ત્રીઓએ તે પૂજનાર્થે તેને શરીરે ઘી પણ ચોપડયું. પરંતુ તે સ્ત્રીઓનું આ પૂજન તે સર્પને વસમું થઈ પડયું. કારણ કે કીડીએ તે ઘી ખાવા ત્યાં ખેંચાઈ આવી અને સાપને આખે શરીરે તીવ્ર ચટકા ભરવા લાગી. પરંતુ એ વેદનાને પિતાનાં પૂર્વકર્મોનું ઊંચત પરિણામ માની, તે સાપ તે કીડીઓ કચરાઈ ન જાય તે માટે હાલ્યા ચાલ્યા વિના પડ્યો રહ્યો અને પંદર દિવસ રિબાઈને મરણ પામ્યો. ત્યાર બાદ તે સહસ્ત્રાર નામના દેવલોકમાં દેવતા થયો. જેના સાનિધ્યમાં ક્રૂર, હિંસક પ્રાણુઓ પિતાને સ્વભાવ છોડી દઈ, અરસપરસ વિરોધભાવને ત્યાગ કરે છે, તેના હૃદયમાં પ્રાણુમાત્ર પ્રત્યે સમતા અને અભય છલેછલ ઊભરાતાં હેવા જોઈએ. તે બે ભાવના સરવાળારૂપ ભાવને જ અહિંસા કહેવામાં આવે છે. અન્ય પ્રાણીઓ પ્રત્યે કશી પરિગ્રહબુદ્ધ ન હોવાથી કશી હિંસકબુદ્ધિ ન હોય, અને તેથી જ ભયબુદ્ધિ પણ ન હોય, તેમજ તેમને પોતાના જેવા આત્મારૂપ જોવાની સમદષ્ટિ પ્રાપ્ત થઈ હોય, તો જ સાચી અહિંસા પ્રગટે, અને તેનો પ્રભાવ બહાર બીજા ઉપર પડયા વિના ન રહે. { ૧. સુદ નાગકુમાર એક વખત બંધાયેલાં વેર કેવાં ચિરસ્થાયી નીવડે છે, તથા જન્માંતરમાં પણ પાછળ પાછળ આવે છે, તેને દાખલ હવે મહાવીરના જીવનમાં ઘટવાનો હતો. ત્રિપુષ્ટ વાસુદેવના જન્મમાં મહાવીરે ગુહાવાસી જે સિંહને માર્યો હતો, તે આ જન્મે ગંગાનદીમાં સુદંષ્ટ્ર નામે એક નાગકુમાર થયો હતો. મહાવીર કનકખલથી આગળ ચાલી ઉત્તરાવાવાલા ગામમાં પખવાડિયાના ઉપવાસનું પારણું કરવા ગયા. ત્યાં ૧. જુઓ પાન ૩૯,
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy