SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રી મહાવી-સ્કા બમણુધર્મનું પણ તે વિધિવત પાલન કરતો હતો. એક વખત પિતાની સાથે એક નાની ઉમરને શિષ્ય લઈ, તે ભિક્ષા નિમિત્તે બહાર નીકળ્યો. તે વખતે ધૂંસરી એટલે મા આગળ જોઈજોઈને ચાલવા છતાં દેવયોગે તેના પગ નીચે એક દેડકી કચરાઈ ગઈ પેલા શિષ્ય તેનું ધ્યાન તે તરફ ખેંચ્યું, જેથી તેનું રોગ્ય પ્રાયશ્ચિત્તાદિ તે કરી શકે. પરંતુ, માત્ર તપસ્વીની બાબતમાં ઘણી વાર બને છે તેમ, તપથી તેનું શરીર કૃશ થયું હતું, પરંતુ તેના ક્રોધાદિ ભાવો કૃશ થવાને બદલે ઉગ્ર બન્યા હતા. એટલે ગોભદ્ર તે વસ્તુ સ્વીકારવાને બદલે પેલા શિષ્યને કચરાઈ ગયેલી બીજી દેડકીઓ બતાવી બતાવીને પૂછવા લાગ્યો કે, આ બધી પણ શું મેં કરી નાખી છે? પેલે શિષ્ય તે વખતે ચૂપ થઈ ગયો. તેણે માની લીધું કે સાયંકાળે તે જરૂર આ પાપની આલોચના કરશે. પરંતુ સાયંકાળે પણ તેમણે આલેચના ન કરી. એ જોઈ, “કદાચ ભૂલી ગયા હશે” એમ માની તે વાત તેણે તેમને ફરી યાદ કરાવી. પરંતુ એથી તો એકદમ ગુસ્સાથી સળગી ઊઠી, ગોભદ્ર પેલા શિષ્યને મારવા દો. ક્રોધાંધ થઈને દોડતાં વચમાં આવેલા એક થાંભલા સાથે તેનું મસ્તક અફળાવાથી તે ત્યાં ને ત્યાં મરણ પામ્યો. મર્યા બાદ પિતાના તપને કારણે તે જ્યાતિષ્ક દેવગતિને પા. ત્યાંથી યથાકાળે આવી તે આ કનખલ નામના સ્થાનમાં પાંચસો તપસ્વીઓના કુલપતિની પત્નીને પેટે કૌશિક નામે પુત્ર થયે. પહેલેથી જ તે અત્યંત ક્રોધી હતો. આથી બધા તાપમાં તે ચંડકૌશિક નામે ઓળખાતો. પિતા મરણ પામતાં તે કુલપતિ થયે. તેને પોતાના વનખંડ ઉપર ઘણી આસક્તિ હતી, જેથી તે રાતદિવસ તરફ ભમ્યા કરતે, અને કેઈ તે વનખંડમાંથી પત્ર, પુષ્પ, ફલ કે મૂળ લેવા આવતું તે જે હાથમાં આવે તે લઈને મારવા દોડતા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy