SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ દોક્ષાનાં પ્રથમ છ વર્ષ ૧૩૭ મોરાથી નીકળી મહાવીર આગળ ચાલ્યા. માર્ગમાં દૃક્ષણાવાચાલા, અને ઉત્તરાવાચલ એમ બે ગામડીઓ આવતી આવતી હતી. તે બેની વચ્ચે બે નદીઓ આવતી હતી. સુવર્ણ વાલુકા, અને રૂવાલુકા. ભગવાન દક્ષિણવાચાલામાંથી ઉત્તરવાચાલા તરફ વળ્યા. માગ માં સુવર્ણવાલુકાના તટ ઉપર તેમનું અધવસ્ત્ર ઝાંખરાંમાં ભરાઈ ગયું અને તે પેલા પાછળ ફરતા બ્રાહ્મણે ઉપાડી લીધું એ આપણે આગળ જોઈ આવ્યા છીએ. જો કે, થલપાણિના ભયંકર મંદિરમાં ચાતુર્માસના વસવાટ વખતે કે મોરાકમાં અચ્છેદકના ઉપદ્રવ વખતે તે પાછળ પાછળ સાથે કેવી રીતે રહી શક્યો તે કલ્પવાનું કથાકાર આપણું ઉપર છેડી દે છે. ૫. ચંડકૌશિક સર્ષ ઉત્તરાવાચાલા જવાના બે માર્ગ હતા. એક ટૂંકે અને એક લાંબે. ટૂંકે માર્ગ કનખલ નામના આશ્રમપદની વચ્ચે થઈને જાતે હતે. તે આશ્રમપદમાં તે વખતે ચંડકૌશિક નામનો ભયંકર સર્ષ રહેતો હતો. તેથી કેાઈ તે ટૂંક માર્ગે જતું રહેતું. પરંતુ ભગવાન તો ગોવાળિયાઓએ ચેતવ્યા છતાં ટૂંકે માર્ગે જ ગયા. માત્ર જીવનભયને કારણે એવા સાધુપુરુષ ટૂંકે માર્ગ છોડી, લાંબે માર્ગ વાટવાનું શી રીતે પસંદ કરે? તે ચંડકૌશિક સર્પની કથા આ પ્રમાણે છે : પૂર્વ જન્મમાં તે સર્પ [ગભદ્ર નામે તપસ્વી સાધુ હતો. તે ભારે તપસ્વી હતો, અને મહિના મહિનાના ઉપવાસ કરતો હતો. પિતાના હાથે કરી ઊભા કરવા નહીં, એવો નિશ્ચય પણ તેમણે કર્યો જ હવે જોઈએ. હજુ બીજાને ઉપદેશ આપવાના કામની જેમ, બીજાનાં જહાણું ખુલ્લાં પાડી આપવાના કામમાં પડવાની તેમને વાર હતી. ૧. ગુણચંદગણી સુવર્ણ કુલા નામ આપે છે. ૨. ગુણચંદ્રગણું કૃત ચરત્રમાં જણાવ્યા પ્રમાણે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy