SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા મહાવીરે વિચાર કરી તરત જવાબ આપ્યો, “હું ગૃહસ્થને તેમ જ સાધુન એમ બે પ્રકારને ધર્મ વિચારવા ઈચ્છું છું, તેનું એ સ્વપ્ન સૂચક હશે.” [પ્રથમ ચેમાસું] જે સ્થળે પતે ભયભેરવ ઉપર વિજય મેળવી, દશસ્વસૂચિત આત્મશ્રદ્ધા પ્રાપ્ત કરી, તે સ્થાનમાં જ મહાવીરે ચોમાસાના ચાર માસ વ્યતીત કર્યા. આ ચાતુર્માસ દરમ્યાન તેમણે પખવાડિયા પખવાડિયાને એક એવા આઠ ઉપવાસ કર્યા હતા. ૪. પાખંડી અછંદક ચોમાસું પૂરું થતાં, મહાવીર અસ્થિક ગામથી ચાલી નીકળ્યા, અને મોરાક નામના ગામે આવી, ગામબહાર આવેલી ઝાડીમાં ઊતર્યા. તે ગામમાં અચ્છેદક નામે એક પાખંડી પિતાની મંત્ર-તંત્ર-સિદ્ધિની વાતથી લેકે ઉપર પ્રભાવ પાડી રહ્યો હતો. મહાવીરના સાંભળવામાં પણ તેની આશ્ચર્યકારક સિદ્ધિઓની ઊડતી વાતે આવી. પરંતુ મહાવીર ત્યાં રહ્યા તે દરમ્યાન, રાત-મધરાતે ગામ બહાર આવી તે અચ્છેદક જે કાંઈ ચોરી વગેરેને માલ દાટ કે બીજા અનાચાર કરતો, તે તેમને જાણવામાં આવ્યા. તે ઉપરથી ગામલોકોને ચેતવી તેમને આ દુરાચારી મનુષ્યની જાળમાંથી છોડવવાન મહાવીરને સ્વાભાવિક રીતે વિચાર આવ્યો. જે મુઢ લેકે ચમત્કારોની વાતોથી જ ભરમાય છે, તેમને કાંઈક ચમત્કારની વાતોથી જ ખેંચી શકાય એમ વિચારી તેમણે લેકેને ભૂત-ભવિષ્ય-વર્તમાનની ખબરે કહેવા માંડી. એક ગોવાળે ગામમાં જઈ પિતાને અનુભવ કહી સંભળાવ્યું કે, “ગામ બહાર ઝાડી માં રહેવા આવેલા મહાત્મા તે બીજાના મનની વાતો જાણી લે છે. મેં રાબડી (સૌવીર) સાથે કાંગને ભાત ખાધો હતો, હું બળદનું રખવાળું
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy