SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાના પ્રથમ છ વર્ષ ૧૩૪ જરા નિદ્રા આવી ગઈ. ભયભેરવના પરાજયથી આત્મવિશ્વાસ પામેલા મહાવીરને તે નિદ્રામાં હવેથી ભવિષ્યમાં થનારી તેમની પ્રગતિનાં સૂચક દશ સ્વપ્ન આવ્યાં. બીજે દિવસે સવારે તેમની દશા જાણવા આવેલા ગામલોકો સાથે આવેલા ઉત્પલ નામના નિમિત્તશાસ્ત્રણે તે સ્વપ્નનો અર્થ તેમને આ રીતે કરી બતાવ્યું: “હે મહાત્મન ! પ્રથમ સ્વપ્ન તમે જે તાલપિશાચને હો, તે મેહરૂપ પિશાચ તમારે હાથે થનાર વધનું સૂચક છે. બીજે સ્વને તમે શ્વેત રંગને કેકિલ છે, તે તમને પ્રાપ્ત થનાર શુકલ ધ્યાનનું સૂચક છે. ત્રીજે સ્વપ્ન તમે જે રંગબેરંગી કેલિ જે તે તમારે હાથે થનાર ચિત્રવિચિત્ર શાસ્ત્રરચનાનું સૂચક છે. પાંચમે સ્વપ્ન તમે તમારી સેવા કરવામાં ઉઘત જે ગોવર્ગ જોયો, તે ચતુર્વિધ સંધથી થનારી તમારી સેવાનું સૂચક છે. છટ્ટે સ્વને તમે પદ્મોથી ભરેલું જે સરવર જોયું, તે દેને સમૂહ તમારે સેવકભૂત થશે તે બીનાનું સૂચક છે; સાતમે સ્વને તમે જે સમુદ્ર તરી ગયા, તે આ ભવસાગરને તમે તરવાના છે તેનું સૂચક છે. આઠમે સ્વને તમે જે સૂર્ય જોયો, તે તમને ઉત્પન્ન થનાર કેવલજ્ઞાનનું સૂચક છે. નવમે સ્વને પોતાનાં આંતરડાંથી વીંટાયેલે જે માનુષત્તર૧ પર્વત તમે જોયો, તે તમારા યશ અને પ્રતાપથી વ્યાપ્ત થનાર ત્રિલોકનું સૂચક છે; અને દશમા સ્વરને તમે પોતાને મેરુ પર્વતના શિખર ઉપર આરૂઢ થયેલા જોયા, તે સિંહાસન ઉપર બેસીને તમે ધર્મોપદેશ આપવાના છે તેનું સૂચક છે. આમ તમારાં દશમાંથી નવ સ્વપ્નનું ફળ હું જાણું છું, પરંતુ ચોથા સ્વને તમે જે બે માળાઓ જોઈ, તેનું ફળ હું જાણતો નથી.” ૧. મનુષ્યલાકને જુદા પાડનાર પર્વત,
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy