SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર - શ્રી મહાવીર કથા ભયભેરવ આવતું, તે ચાલતાં ચાલતાં જ હું તેને નાશ કરતો. ત્યાં સુધી હું ઊભો રહેતો નહીં, બેસી જતો નહીં, કે પથારીમાં ઊંધું ઘાલી પડતો નહીં. હું ઊભે હાઉં ત્યારે ભયભેરવ આવતું તો ઊભો ઊભો જ હું તેને નાશ કરતે; બેઠે હોઉં ત્યારે આવતું, તો બેઠો બેઠો જ હું તેને નાશ કરતે; અને જે પથારીમાં પડ્યો હોઉં ત્યારે આવતું, તે પથારીમાં પડ્યો પડ્યો જ તેને હું નાશ કરો.” [મજિઝમ ભયભેરવસુત્ત] એક જ અનુભવ બૌદ્ધ સૂત્રકારે અને જૈન સૂત્રકારે જુદી જુદી ભાષામાં અને શૈલીમાં રજૂ કર્યો છે. પરંતુ ગૃહાવાસ તજી, ધ્યાનાદિ માટે નિર્જન અરણ્યવાસ સ્વીકારનારને જે તીવ્ર અનુભવ સૌથી પ્રથમ સહન કરવામાં આવે છે, તેનું એ બંને સૂચન કરે છે. મહાવીર એ ભયભેરવને જીતવા શક્તિમાન થયા. શૂલપાણિ યક્ષને પરાભવ થયો. તે મહાવીરને શરણે આવ્યું. મહાવીરે તેને તોપદેશ આપી, અહિંસાના સુવર્ણ માર્ગે ચડાવ્યો. શૂલપાણિ બોધ પામે, પારકા જીવોના કરેલા ઘાતથી પિતાના જ આત્માનો ઘાત કેવી રીતે થાય છે એ રહસ્ય તે સમજ્યો, અને શાંત થઈ હવેગમાં સંગીત કરવા લાગ્યો. આ કપરી કસોટીમાં પાર ઊતરતાં પોતાને વેઠવા પડેલા શારીરિક તેમ જ માનસિક શ્રમને કારણે મહાવીરને મોડી રાતે ૧. કથાકારે આ ઉપદેશ પેલા અપદેવ થયેલા માસીના છોકરા સિદ્ધાર્થ દ્વારા અપાવ્યો છે. એને ઈ કે મહાવીરની રક્ષા માટે નિયુક્ત કર્યો હતો. પરંતુ તે સતત કશું ધ્યાન રાખતે નહીં. તેથી જ્યારે શૂલપાણિ યક્ષ મહાવીરને સારી પેઠે મોખરા કરી-કરીને થાક્યો અને તેમને શરણે આવ્યો, ત્યારે જ સિદ્ધાર્થભાઈ ત્યાં આવી પહોંચ્યા, અને ભગવાન મહાવીરની મહત્તા બતાવી શૂલપાણિને ઠપકો આપવા લાગ્યા,
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy