SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ શ્રી મહાવીરકથા - શીંગડા જેવા એકાકી, મેટા સાંઢ જેવા મહાબળશાળી, સુવણૅ ની જેમ શુદ્ધ, પક્ષીની જેમ સ્વત ંત્ર, જીવની જેમ અસ્ખલિત ગતિવાળા, ભારડ પક્ષીની જેમ પ્રમાદરહિત, આકાશની જેમ નિરાશ્રય, તથા કમળપત્રની જેમ નિલેપ હતા. શત્રુમિત્ર, તૃણુ–સ્રી, સુવણૅ પાષાણ, મણિ-મૃત્તિકા, આ લેાક — પરલોક, સુખ-દુઃખ અને સંસાર તથા મેક્ષમાં તે સભાનભાવવાળા હતા, તથા અહેતુક કરુણાળુ મનને લીધે સંસારસાગરમાં ડૂબી જતાં મુગ્ધ પ્રાણીઓના ઉદ્ધાર કરવાની ઇચ્છાવાળા હતા. [ જોકે, દીક્ષાના સમયથી માંડીને સંપૂર્ણ એવું કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય, ત્યાં સુધીની છદ્મસ્થાવસ્થામાં તીથ કરા કાઈ ને ઉપદેશ કરતા નથી.] ૨. તાપસાના આશ્રમ ઉપર જણાવ્યા પ્રમાણે કમળપત્રની પેઠે નિલેપ રહી, સર્વત્ર વિચર્યો કરતા મહાવીરે ગ્રીષ્મકાળ વ્યતીત કરી નાખ્યા. ત્યાર બાદ ચાતુર્માસ કરવા, પેાતે પિતાના મિત્ર પેલા તાપસેાના કુલપતિને આપેલું વચન યાદ કરી, મેરાક ગામે પાછા પધાર્યાં. કુલપતિએ શ્વાસની એક કુટી તેમને રહેવા માટે આપી. વરસાદ પડવા શરૂ થઈ ગયા હતા. પરંતુ નવું ધાસ હજુ ખરાખર ઊગ્યું ન હતું. ગ્રીષ્મકાળમાં તૃણુ નાશ પામ્યાં હોવાથી ગાયે। શ્વાસની આ કુટીઓનું શ્વાસ ખાવા વારંવાર પડાપડી કરતી. તે વખતે તે તાપસાને સાવધાન રહી, તે ગાયા હાંકયા કરવી પડતી. પરંતુ મહાવીર એવું કશું ધ્યાન રાખતા નહી, એટલે તેમની ઝૂંપડી તરફ ગાયા વારંવાર દેડી આવતી. આથી મહાવીરના અન્ય પડેાશી તાપસા મહાવીર ઉપર ચિડાયા. તેમને લાગ્યું કે આ માણસ તા ભારે અકૃત, ઉદાસી, આળસુ અને દાક્ષિણ્યરહિત છે. કારણ કે, તે પણ કુલપતિએ આપેલી ઝૂંપડી. સાચવતા હત, તેા કશું ખાવાનું ન મળવાથી ગાયાને હલ્લે આ તરફ ચાલુ રહેત નહિ, અને કાઈ ને સાચવવા એસી રહેવું પડત નહિં.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy