SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાના પ્રથમ છ વર્ષ ૧૫ કલાકમાં આવ્યા. ત્યાં બહુલ નામે બ્રાહ્મણને ત્યાં તેમણે “મધુવ્રત સંયુક્ત પરમાત્રથી” પારણું કર્યું. ત્યાંથી નીકળી, તે છેડે દૂર મોરાકમાં આવેલા પિતાના પિતા સિદ્ધાર્થના મિત્ર એક તાપસ કુલપતિના આશ્રમે આવ્યા. તે તાપસ “દુઈજ્જત” કહેવાતા હતા. પેલો તાપસ કુલપતિ મહાવીરને જોઈ તેમને ઓળખી તેમની સામે આવ્યો. રોજના અભ્યાસથી મહાવીરે તેને મળવા માટે હાથ પસાર્યો. તેની ઈચ્છાથી મહાવીર એક રાત તેના આશ્રમે જ રહ્યા. પછી બીજે દિવસે તે ત્યાંથી ચાલવા લાગ્યા, ત્યારે તે કુલપતિએ તેમને ચેમાસાના ચાર મહિના એ આશ્રમમાં જ ગાળવા આવવાની વિનંતિ કરી. કારણ કે એ સ્થળ એકાંતમાં હોવાથી ધ્યાનાદિ માટે બધી રીતે યોગ્ય હતું. તેના આગ્રહથી તેનું વચન સ્વીકારી, મહાવીર ત્યાંથી શંખની જેમ નિરંજનપણે ચાલી નીકળ્યા. તે શરૂઆતના વખતની તેમની શારીરિક તથા માનસિક દશા વર્ણવતાં કથાકારે કહે છે: તે પ્રભુ ચંદ્ર જેવી શીતળ મનોવૃત્તિવાળા હોવા છતાં સૂર્ય જેવા તેજસ્વી હતા; ગરેંદ્ર જેવા બળવાન હતા, મેરુ જેવા નિશ્ચલ હતા, પૃથ્વીની પેઠે સર્વ પ્રકારના સ્પર્શી સહન કરનારા હતા, સમુદ્ર જેવા ગંભીર હતા, સિંહ જેવા નિર્ભય હતા, તથા નાસ્તિક જેમ હેમાગ્નિથી દૂર રહે છે તેમ પોતે નાસ્તિકોથી દૂર રહેનારા હતા. વળી તે ગેંડાના ૧. વાણિજ્યગ્રામ-વૈશાલી-ક્ષત્રિયકુડપુર એ ત્રણે મળીને બનતા મોટા શહેરની ઉત્તરમાં ક્ષત્રિયોને સંનિવેશ (પરું) હતાં, તથા તેમાં જ્ઞાતૃવંશી ક્ષત્રિયેનો અલગ મેહેલ્લો (૩૪) હતો. સંનિવેશની બહાર જ્ઞાતૃવંશીઓનું શુતિ પલાશ નામનું ચેત્ય હતું. તેની આસપાસ એક ઉદ્યાન પણ હતું. તે નાય-સ0g-an-૩૪નાળે કે ગાય-સન્ડે-૩ ના નામથી ઓળખાતું હતું. તેમાં આવીને જ મહાવીરે દીક્ષા લીધી હતી. એટલે કલ્લાક સંનિવેશ જ મહાવીરના પિતાનું નિવાસસ્થાન કહેવાય. ૨. આવ. ટીકા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy