SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રી મહાવીર કથા એટલે જ્યારે તે ગોવાળ પોતાનું કામ પરવારી મોડે મોડો બળદ લેવા પાછો આવ્યો, ત્યારે તેણે આસપાસ બળદ જેવા નહીં; તથા મહાવીરને પૂછતાં તેને કંઈ ઉત્તર પણ મળ્યો નહીં. એટલે આ બાઘાને કાંઈ ખબર નહીં હોય એમ માની, તે બળદ શોધવા નીકળી પડ્યો. આખી રાત ભટક્યા બાદ જ્યારે તે ખાલી હાથે પાછો આવ્યો. ત્યારે તેણે તે બળદોને તે જ ઠેકાણે મહાવીરની પાસે વાગોળતા બેઠેલા જોયા. એ ઉપરથી તેણે માની લીધું કે, આણે જાણતો હોવા છતાં નાહક મને રખડાવ્યો, તથા તેની દાનત સવાર થતાં બળદ લઈ રસ્તે પડવાની જ હશે! આથી તે તરત બળદની રાશ લઈ પ્રભુને મારવા દેડક્યો. તે વખતે, દીક્ષા લીધા બાદ પ્રથમ દિવસે મહાવીરનું શું થયું તેની તપાસ રાખતા તેમના અનુરાગી કે તેને વાર્યો અને કહ્યું કે, આ તે સિદ્ધાર્થ રાજાનો પુત્ર છે. ચાર નથી. તેને ઓળખતો નથી શું?” આમ છતા થયેલા તે ઇંદ્ર આગળ ઉપર પણ આવું ફરી ન બને તે માટે પિતાને સાથે રાખવા મહાવીરને આજીજી કરી. ત્યારે મહાવીરે તેને સમજાવ્યો કે, આ કર્મક્ષયના માર્ગમાં બીજા કોઈની મદદ કામ આવતી નથી. મારાં પૂવ કર્મોને ક્ષય મારે તેમનાં ફળ ભોગવીને જ કરવો પડવાને છે, માટે તારે આ પ્રકારે મારી પાછળ ફરવાનું કાંઈ પ્રયોજન નથી. પરંતુ નાછૂટકે પાછા ફરેલા ઈદે મહાવીરની માસીના પુત્ર સિદ્ધાર્થને છૂપી રીતે તેમની પાછળ મેકલવાની વ્યવસ્થા તો કરી જ. કથાકાર જણાવતા જાય છે કે, તે સિદ્ધાર્થ મૂળે તપસ્વી હતો, તથા અન્ય સંપ્રદાયમાં જણાવ્યા પ્રમાણે તપ આચરી, વ્યંતર દેવમાં ઉત્પન્ન થવારૂપ હીન ગતિ પામ્યો હતો. મહાવીર કુમ્ભાર ગામથી નીકળી દીક્ષા વખતે પોતે કરેલા છ ટંકના ઉપવાસનું પારણું કરવા પાછા પિતાને ગામ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy