SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરકથા તીર્થંકરના શારીરિક બળ વિષે વર્ણન કરતાં એક ગણતરી એવી કરવામાં આવે છે કે, બાર યેહાના બળ જેટલું બળ એક ગધામાં હોય છે. દશ ગોધાનું બળ એક ઘડામાં હોય છે. બાર ઘેડાનું બળ એક મહિષમાં, પંદર મહિષનું એક હાથીમાં, પાંચસેં હાથીનું એક કેસરીસિંહમાં, બેહજાર કેસરીસિંહનું એક અષ્ટાપદમાં, દશ લાખ અષ્ટાપનું એક બલદેવમાં, બે બલદેવનું એક વાસુદેવમાં, બે વાસુદેવનું એક ચક્વર્તીમાં, એક લાખ ચકીનું એક નાગૅદ્રમાં, એક કરોડ નાગેન્દ્રનું એક ઇકમાં, અને એવા અનંત ઇકો જેટલું બળ જિદ્રની ટચલી આંગળીમાં હોય છે. તે ગણતરી બીજી રીતે કશા કામની નથી. પરંતુ બધા ચરમશરીરી” એટલે અંતિમ શરીરવાળા અર્થાત આ જન્મે જ મેક્ષે જવાવાળા જીવને નિયમપૂર્વક “વજ-વસનારાચ” નામનું હનન હોવું જોઈએ એવો નિયમ છે. “સંહનન’ એટલે શારીરિક બાંધાને અમુક વિશિષ્ટ પ્રકાર. તે વસ્તુ પૂલ રીતે વર્ણવી શકાય તેમ ન હોવાથી તેનું વર્ણન અમુક કલ્પનાઓથી કરવામાં આવે છે. જેમકે બે હાડ માત્ર અડી રહે તેના કરતાં તે બેને સાંધો કરી વચમાં ખીલી (કાલિકા) મારવામાં આવે તો તે સાંધા મજબૂત ગણાય. તેના કરતાં પણ બે છેડા એક બીજાના ખાડામાં ગોઠવવામાં આવે, તે તે મર્કટબંધ (નારાચ) વધુ મજબૂત ગણાય. હવે તે મર્કટબંધ ઉપર પાછો હાડને પાટે (૪ષભ) આવે તો તે ઋષભનારાચ બંધ તેના કરતાં વધુ મજબૂત થાય. હવે તે ઋષભનારાચને પણ વીંધી એક “વજ’ ખીલો વધારામાં પરોવવામાં આવે તો તે વજ–ષભ-નારાચ બંધ સૌથી મજબૂત ગણાય. કહેવાય છે કે એ સાંધા ઉપર થઈને ઘોડા સાથે રથ ચાલ્યો જાય તે પણ તે સાધે છૂટો ન પડે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy