SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરજા શરીરને એક ભાગ સહેજ કંપાવ્યો, અને માતાને પિતા ઉપરને એવો ગાઢ સ્નેહ જોઈને જ નિયમ લીધે કે, જ્યાં સુધી મારાં માતાપિતા જીવતાં રહે ત્યાં સુધી મારે ઘરને ત્યાગ કરી દીક્ષા ન લેવી. અલબત્ત, જેને પોતાના જન્મ-મરણનું જ્ઞાન હોય, તથા પિતાનું સર્વ ભવિષ્ય હસ્તામલક્વત જ્ઞાત હોય તે ભલે એ સંકલ્પ કરે. બાકી, અન્ય જીવો તે એવો સંકલ્પ ન કરી શકે. અને જૈન ગ્રંથોમાં દીક્ષા લેવા તૈયાર થયેલા પુત્રોને ઈ-કકળીને પિતાના જીવતા સુધી દીક્ષા લેવાનું મોકુફ રાખવા મનાવતી માતાઓને પાછળ મૂકીને આવેલા કેટલાય શિષ્યોને મહાવીરે પિોતે જ દીક્ષા આપ્યાના ઉલ્લેખો છે; તથા તે શિષ્યએ પિતાની માતાને એક જ દલીલ હંમેશાં આપી હોય છે કે, “કોણ જાણે છે કે કેણુ પ્રથમ જશે અને કોણ પછી જશે?” ઉત્તરાધ્યયનમાં કહ્યું છે: “જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, અથવા જે પિતાને મૃત્યુ નથી એમ અવશ્ય જાણતો હોય, તે જ એવો વિચાર કરી શકે કે, “આ હું આવતી કાલે કરીશ.” કથાકારને અન્યાય ન થાય એટલા ખાતર, અહીં એટલું જણાવતા જવું જોઈએ કે, માતાના શેકની ગર્ભસ્થ મહાવીરને ખબર પડી તેનું કારણ કથાકાર એ જણાવે છે કે, મહાવીરને મતિ, મૃત અને અવધ એ ત્રણ જ્ઞાન જન્મથી જ સિહ હતાં. મતિજ્ઞાન એટલે ઇક્રિય અને મનના વ્યાપારથી થતું જ્ઞાન; શ્રુતજ્ઞાન એટલે ઇકિય અને મનથી શ્રત-શાસ્ત્રગ્રંથાનુસારે થતું જ્ઞાન; અને અવધિજ્ઞાન એટલે ઇકિય-મનની ૧. જુઓ ભગવતી ૯.૩૩માં જમાલિક જ્ઞાતાધર્મકથાસૂત્ર ૧-૧માં મેધકુમાર; અનુત્તરૌપપાતિકાશામાં જાલીકુમાર, ધન્ય વગેરે. ૨. એ જ્ઞાનના એક વિભાગ “ધારણ”માં જાતિ-સ્મરણ જ્ઞાન, એટલે કે પોતાના કેટલાક પૂર્વજન્મના જ્ઞાનની સ્મૃતિને પણ સમાવેશ થઈ જાય છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy