SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ક શ્રી મહાવીરકથા સહાયતા વિના આત્માની વિશિષ્ટ યેાગ્યતાથી થતું મૃત દ્રવ્યેાનું પ્રત્યક્ષ જ્ઞાન. તે જ્ઞાનવાળા અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી જેટલા અતીત અનાગતકાળને જાણે અને જુએ છે, અર્થાત્ તેટલા કાળમાં રહેલાં સમગ્ર લાકનાં રૂપી બ્યાને જાણે છે.] તેથી જ દેવલાકમાંથી ચ્યવતા પહેલાં પણુ મહાવીર જાણુતા હતા કે હું હવે અહીથી ચ્યવવાને છું, તથા દેવાનંદાના ગમાં ઉત્પન્ન થયા પછી પણ તે જાણતા હતા કે હું દેવલાકમાંથી ચ્યવીને અહીં ઉત્પન્ન થયે! છું; તે જ પ્રમાણે દેવાનંદાની કૂખમાંથી ત્રિશલા માતાની કૂખમાં પેાતાનું સંહરણ થયું હતું ત્યારે પણ તે જાણતા હતા કે મને દેવાનંદાના ગમાંથી લઈ તે અહી મૂકવામાં આવ્યું છે. ગના પ્રભાવથી માતાને જુદી જુદી જાતના દાદા થાય છે.૧ તે ઉપરથી પશુ જન્મનારા સંતાનને સ્વભાવ માલૂમ પડે છે. ત્રિશલા રાણીના દોહરા કથાકારાએ આ પ્રમાણે વવ્યા છે : “ ચારે દિશામાં ‘અ-મારી' (પશુ-૫ખીને મારશે। નહીં એવી) ધોષણા કરાવું; ખૂબ દાન આપુ; સાધુસ ંતાની ભલે પ્રકારે પૂજા કરું; તીથ કર પ્રભુની પૂજા રચાવું; સંધ - મહેાત્સવ કરી, સામિક સંઘનું વાત્સલ્ય કરું; સિંહાસન ઉપર મેરું; ઉત્તમ છત્ર માથે ધારણ કરાવું; સફેદ ચામરા મારી આસપાસ વીંઝવું; સઘળાંએ ઉપર ભલે પ્રકારે શાસન ચલાવું; હાથી ઉપર એસી, વાજિંત્રા વાગતાં હોય, લેાકેા ભારે આનંદૃથી • જય” · જય’ કરતા હોય અને હું સવારીએ નીકળું, ઇ." સિદ્ધા ક્ષત્રિય પણ તે તે દાઢા કાળજીથી પૂરા કરતા. કારણ કે, ગર્ભવતીના દેહા પૂરા ન થાય તે। તેને તેમ જ તેના ગર્ભને કાયમનું નુકસાન થાય. • ૧. સામાન્ય રીતે તે દોહદા ગર્ભધારણ પછી ત્રણ-સાડાત્રણ મહિને થતા જૈનગ્રંથામાં વર્ષોવાયા છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy