SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા વાહન-કોઠાર-પ્રીતિસત્કાર વગેરે બાબતમાં અત્યંત વૃદ્ધિ પામવા લાગ્યું. એ ઉપરથી ભગવાનનાં માતપિતાને વિચાર વિચાર આવ્યો કે, “જ્યારથી આ ગર્ભ ઉત્પન્ન થયો છે, ત્યારથી ધન-ધાન્યાદિ વૈભવમાં આપણે વૃદ્ધિ પામીએ છીએ; માટે જયારે એ જન્મ પામશે ત્યારે એનું નામ આપણે વર્ધમાન પાડીશું.' ૯. ગર્ભમૃત્યુની શકા ત્યાર બાદની જન્મ સુધીની કથામાં કઈ ખાસ વિશેષતા નથી. એક પ્રસંગ એવો નોંધાયો છે કે, ગર્ભાવસ્થા દરમ્યાન સાડાછ માસ વીત્યા બાદ અચાનક ત્રિશલાને ગર્ભનું ફરકવું વગેરે તદ્દન બંધ પડી ગયેલાં લાગ્યાં. આથી તેમને એમ જ લાગ્યું કે, ગર્ભ કાંતો મૃત્યુ પામ્યો કે ચ્યવી ગયે. એ શોકનાં માર્યા તે બાવરાં બની ગયાં. સખીઓએ વાતેવાતે એ ખબરે જાણી લીધી. સિદ્ધાર્થને એ ખબર મળતાં તે ચિંતાતુર થઈ ગયો. તેના ઘરમાં આનંદ-પ્રમોદ બંધ થઈ ગયા, અને સૌ આ શોકનું નિવારણ કરવા સૂઝે તેવા વિવિધ ઉપાયો સૂચવવા તથા કરવા લાગ્યા. અંતે થોડા વખત બાદ ગર્ભ ફરીથી કુરતે જણાય, અને સૌના જીવમાં જીવ આવ્યો આ બનાવ ઉપર જુદાજુદા અનેક કવિઓએ ભારે ભારે ઉપ્રેક્ષાઓ કરી છે. એક કવિ કહે છે, “શું પ્રભુ ગર્ભાવસ્થામાં જ મહરાજ ઉપર વિજય મેળવવાને મંત્ર વિચારી રહ્યા હશે, કે પરબ્રહ્મની પ્રાપ્તિ માટે એકલા કેઈ અગોચર ધ્યાન આચરી રહ્યા હશે, અથવા શું કલ્યાણરસ સાધતા હશે, કે કામદેવ ઉપર કાબ મેળવવા પિતાના અંગે માતાની કૂખમાં સંકેચી રહ્યા હશે?” કથાકાર અહીં એવી કલ્પના કરે છે કે, મહાવીરે માતા પ્રત્યેની અનુકંપા અથવા ભક્તિને લીધે વિચાર્યું કે મારા હલનચલનથી માતાને જરૂર કષ્ટ થતું હશે, તેથી તેઓ ગર્ભમાં નિશ્ચલ થયા; પરંતુ પછી માતાના શોકની ખબર પડતાં તેમણે પિતાના
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy