SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર-કથા દિવસે સિદ્ધાર્થ સ્વપ્નશાસ્ત્ર જાણનારાઓને બોલાવીને તે સ્વપ્નોનું ફળ પૂછે છે. સ્વખપાઠકે જવાબ આપે છે કે, “નવ મહિના બરાબર સંપૂર્ણ થયા પછી, સાડા સાત દિવસને અંતે ત્રિશલા ક્ષત્રિયાણું તમારા કુળને વિષે જ સમાન, દીપક સમાન, મુકુટ સમાન, તિલક સમાન, તથા વૃક્ષ સમાન, (સૌને પોતાની છાયામાં આશ્રય આપનાર), પંચેમિયોથી પરિપૂર્ણ, ઉત્તમ લક્ષણે યુક્ત, તથા સર્વાંગસુંદર પુત્રને જન્મ આપશે તે સઘળી વિદ્યાઓને જાણકાર, તથા દાન દેવામાં અને અંગીકાર કરેલું કાર્ય પાર પાડવામાં સમર્થ થશે, મહા પરાક્રમી થશે, પુષ્કળ લોકોને અધિપતિનાયક થશે, તથા પૃથ્વીને ચારે છેડે તેની હાક વાગશે. આવાં ચૌદ સ્વપ્ન કાં તીર્થકરની માતાને આવે કે કાં તે ચક્રવર્તીની માતાને આવે, એવું અમારું શાસ્ત્ર કહે છે. હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ જે સ્વપ્ન જેવાં છે તે અતિ પ્રશસ્ત છે, આરોગ્ય–સંતોષ-દીર્ધાયુષ–ક૯યાણ તથા મંગળ સૂચવનારાં છે; તેના પ્રતાપે તમને પણ રત્ન–સુવર્ણાદિ અર્થનો, તથા ભોગપભોગની અન્ય સામગ્રીનો લાભ થશે તથા અન્ય શુભ બાબતમાં પણ તમે વૃદ્ધિને પ્રાપ્ત થશે !” સિદ્ધાર્થે એ સ્વમ પાઠકને યથાયોગ્ય ખુશ કરીને વિદાય આપી. ત્યાર બાદ ત્રિશલાદેવી ગર્ભની રક્ષાને અર્થે ખાવાપીવામાં, ઊંધવામાં અને બીજી બધી શારીરિક ક્રિયાઓમાં ઘણી જ સંભાળ રાખીને વર્તવા લાગ્યાં. તેમણે અતિ ઉષ્ણ, અતિ શીત, અતિ મિષ્ટ, અતિ તિક્ત, અતિ ક્ષાર એવાં શરીરને બાધાકારક સર્વે મુજનેનો તેમજ અતિ ચિંતા, અતિ શેક, ૧. ગર્ભવતી સ્ત્રી વાયુ કરનાર પદાર્થ ખાય તો ગર્ભ ખંધિ, આંધળો, જડ બુદ્ધિવાળો અને ઠીંગણે થાય; પિત્ત કરનાર પદાર્થો ખાય તે ગર્ભ ટાલિયે, તથા પીળા-ફીકો થાય; કફકારક પદાર્થો ખાવાથી ગર્ભ સફેદ કોઢવાળે અથવા પાંડુરંગવાળો થાય; અતિ ખારા પદાર્થો ખાય તે ગર્ભનાં નેત્ર નાશ પામે; અતિ ઠડે આહાર અને વાયુનો
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy