SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવી૨જન્મ કથાકાર તે દેવાનંદ બ્રાહ્મણના ગર્ભમાં મહાવીર સ્વામીને જીવ આવ્યા બાદ ૮૨ દિવસ વ્યતીત થતાં સૌધર્મ દેવલોકના સ્વામી ઈદને ફિકર કરાવે છે કે, “તીર્થકર કદી તુચ્છ કુળ, દરિદ્ર કુળ, કૃપણ કુળ કે ભિક્ષુક કુળને વિષે ઉત્પન્ન થયા નથી, થતા નથી કે થશે પણ નહીં; તીર્થકર ઈક્વાકુ વગેરે ક્ષત્રિયકુળમાં જ ઉત્પન્ન થાય છે. કદાચ કોઈ કર્માવશે તે હીન કુળમાં અવતરે તે પણ મારા જેવા છે દ્રાદિની ફરજ છે કે, જન્મ પામ્યા પહેલાં તેમને અમારે ઉત્તમ કુળમાં સંક્રમાવી દેવા.' આમ વિચાર કરી તેણે પિતાના સેનાપતિ દેવ હરિણગમેષીને આજ્ઞા કરી કે, તું તીર્થકરના જીવને બ્રાહ્મણ કુળ થકી સંક્રમાવી કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થની ભાયી વસિષ્ઠ ગોત્રની ત્રિશલાદેવીના ઉદરમાં સ્થાપન કર. તે પ્રમાણે આસો વદ તેરશની રાત્રે પૂર્વ ભાગમાં પહેલા બે પાર પછી એટલે કે ગર્ભધારણ પછી ખાસી રાત્રી-દિવસ વીત્યા બાદ ત્યાસીમા રાત્રી-દિવસની વચ્ચેના કાળમાં, ઉત્તરાફાગુની નક્ષત્રને વિષે મહાવીરને ત્રિશલાની કૂખે સ્થાપિત કરવામાં આવ્યા. કથાકાર ત્યાર બાદ દેવાનંદાની થયેલી દયાપાત્ર સ્થિતિ અને ત્રિશલાની હતિ સ્થિતિનું વર્ણન બૂડેલી કલમે કરે છે. ત્રિશલા પણ દેવાનંદા જેવાં જ સ્વપ્ન જુએ છે, અને બીજે • કથાકારને આ “કુલમદ” વાર્તાના પ્રવાહમાં ખટકે છે. કુલમ કરવાને કારણે તો મરીચિને તીર્થકરના જન્મ વખતે બ્રાહ્મણ કુળમાં જન્મવું પડયું, એમ કથાકાર પ્રથમ આપણને કહી જાય છે. અને તીર્થકર તરીકે ઉપદેશ આપતી વખતે મહાવીર પિતે કુળમદ ન કરવાનું જણાવે છે, તથા બ્રાહ્મણ વગેરે લોકો પતાની ઉચ્ચ જાતિને કારણે જે અભિમાન કરે છે તે માટે છે એમ સાબિત કરે છે અને છતાં થાકાર બ્રાહ્મણ કુળને હલકું કરાવી ક્ષત્રિય કુળને ઊંચું ઠરાવવાનો પ્રયત્ન કરીને આખા મહાવીરસિદ્ધાંતને ખોટો પાડવા જેવું કરે છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy