SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર જન્મ ભગવાન મહાવીરે જવાબ આપ્યોઃ “હે ગૌતમ! દેવાનંદા બ્રાહ્મણું મારી માતા છે, અને હું દેવાનંદ બ્રાહ્મણને પુત્ર છું. માટે તે દેવાનંદ બ્રાહ્મણને પૂર્વના પુત્રનેહાનુરાગથી પાને ચડ્યો, તેના રમકૂપ ઊભા થયા, અને તે મારી સામું અનિમિષ નજરથી જોતી ઊભી છે.” ભગવાન મહાવીરે પિતાના શબ્દોમાં આ પ્રમાણે એ હકીકત જણાવી છે, અને તે ભગવતીસૂત્રમાં સંગ્રહાઈ છે. ત્યાર બાદ મહાવીરે અલબત્ત, પિતાનાં માતપિતા ઋષભદત્ત અને દેવાનંદાને ધર્મ ઉપદે તથા દીક્ષા આપીને તેમને કલ્યાણુમાર્ગે ચડાવ્યાં. અને ભગવતીકાર તે નેધે જ છે કે, તે બંનેએ યથાવત ધર્મ આરાધીને તે જન્મે જ મુક્તિપદ પ્રાપ્ત કર્યું. એથી ઊલટું, મહાવીરમાં જાહેર થયેલાં માતપિતા ક્ષત્રિય સિદ્ધાર્થ અને ક્ષત્રિયાણું ત્રિશલા, આચારાંગસૂત્રમાં જણાવ્યું છે તેમ૧, પાર્શ્વનાથની પરંપરાનાં શ્રમણે પાસક હેઈ, મૃત્યુ બાદ અશ્રુતક૫ નામના બારમા સ્વર્ગમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં. નવાઈની વાત એ છે કે, ભગવાન મહાવીર છેક મોટપણે જ્યારે પોતાની સાચી માતાને જાહેર કરે છે, ત્યારે પોતે ત્રિશલાના પુત્ર શી રીતે કહેવાયા તે વિષે કે ગર્ભહરણ વિષે કાંઈ કહેતા નથી. ભગવતીસવમાં આ પ્રસંગથી ઘણે દૂર પહેલાં (શતક ૫, ઉદેશક ૪), ઈદ્રને સંબંધી શાકનો દૂત હરિણમેષી નામને દેવ સ્ત્રીના ગર્ભનું સંકરણ કરે છે ત્યારે એક ગર્ભાશયમાંથી ગર્ભ લઈને બીજા ગર્ભાશયમાં કેવી રીતે મૂકે છે, તે વિષે ગૌતમ અને મહાવીર વચ્ચેના પ્રશ્નોત્તર નોંધાયેલા છે. અને ત્યાં મહાવીરે એટલું જ જણાવ્યું છે કે, તે દૂત પોતાના હાથ વડે ગર્ભને અડીઅડીને અને તે ગર્ભને પીડા ન થાય તેવી રીતે યોનિ દ્વારા બહાર કાઢીને બીના ગર્ભાશયમાં મૂકે છે. વળી તે દૂત ગર્ભને નખની ટોચ વાટે ૧. આચારાંગ, મુત૦ ૨, અ. ૧૫. કેટલાક (આવશ્યક સુત્ર) તેઓ પાથા દેવલોકમાં ગયાં એમ કહે છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy