SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા પુરુષ–એક જન્મવાનું હતું, તેને આવા શુભ સ્વપ્નની પેઠે બીજા પણ કેટલા અવનવા ઉલાસ શરીરે પુરતા હશે ! કથાકાર કહે છે કે, મહાવીર ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારથી ઋષભદત બ્રાહ્મણના ઘરમાં સર્વ પ્રકારની સમૃદ્ધિ વૃદ્ધિગત થવા લાગી. બીજી સમૃદ્ધિ તે વધી છે કે ન વધી છે, પરંતુ આવા પ્રતાપી ગર્ભને કારણે માતપિતાના હર્ષની સમૃદ્ધિ તે જરૂર હિંમત થઈ હશે. ૮. ગહરણ. પરંતુ ત્યાર પછી થોડા જ દિવસમાં* એક વિચિત્ર પ્રસંગ બની ગયેઆસમાની કે સુલતાની કોઈ પણ રહસ્યને કારણે દેવાનંદ બ્રહ્મણીને ગર્ભપુત્ર કુડપુર (વૈશાલી)ની ઉત્તરે આવેલા કલ્લાક નામે પરામાં રહેતા જ્ઞાતૃવંશી સિદ્ધાર્થ ક્ષત્રિયની ક્ષત્રિયાણું ત્રિશલાના ગર્ભપુત્રરૂપે જન્મેલે જાહેર થયો. એ બધું શું થયું એ કંઈ જાણું શકે તેમ નથી કે કલ્પી શકે તેમ નથી. કેટલાંય વર્ષ બાદ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને ફરતા ફરતા મહાવીર વિશાલીની દક્ષિણે બ્રાહ્મણપરામાં પધાર્યા, ત્યારે મહાવીરને જોતાં દેવાનંદા બ્રાહ્મણના “સ્તનમાંથી દૂધની ધારા છૂટી, તેનાં લચને આનંદાશ્રુથી ભીનાં થયાં, તેની હર્ષથી એકદમ ફૂલતી ભુજાઓને તેનાં કડાંએ રેકી, હર્ષથી શરીર પ્રકુલ્લિત થતાં તેને કંચુક વિસ્તીર્ણ થયા, મેઘની ધારાથી વિકસિત થયેલા કબપુષ્પની પેઠે તેના રમકૂપ ઊભા થયા, અને તે શ્રમણભગવંત મહાવીરને અનિમિષ દૃષ્ટિથી જોતી જોતી ઊભી રહી.” [ભગવતીસૂત્ર ૯-૩૩-૪] ત્યારે ગાતમે ભગવંત મહાવીરને વંદી-નમીને પૂછયું : હે ભગવન ! આ દેવાનંદા બ્રાહ્મણને પાને કેમ ચડ્યો, અર્થાત્ તેના સ્તનમાંથી દૂધની ધારા કેમ છૂટી, તેને રોમાંચ કેમ થયો, તથા તે આપને અનિમિષ દૃષ્ટિથી કેમ જોયા કરે છે?” • કથાકારને હિસાબે ૯૨ દિવસ વીત્યા બાદ.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy