SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ * ધર્મકથાઓ આનાં સર્વ સગાંને જમવા તેડાવ્યાં. જમણુ થઈ રહ્યા બાદ મધાની સમક્ષ તેણે પેાતાની એક એક પુત્રવધૂને ખેલાવી, અને તે દરેકને શાળના પાંચ પાંચ દાણા આપીને કહ્યું કે, તમે આ દાણા સાચવજો તથા જ્યારે હું માગું ત્યારે મને પાછા આપજો.” (6 મોટી પુત્રવધૂ ઉજ્જીિકાએ તે પાંચ દાણા લીધા અને “ સસરાજીના કાઠારમાં શાળનાં ઘણાંય પાલાં ભરેલાં છે, એટલે જ્યારે તે દાણા પાછા માગશે ત્યારે તેમાંથી પાંચ દાણા લઇને આપી દઈશ ” એમ વિચારીને, કોઈ ન જાણે તેમ મહાર ફેંકી દીધા. .. બીજી પુત્રવધૂ ભગવતીએ એ દાણા લીધા અને સસરા માગશે ત્યારે કાઠારમાંથી અપાશે” એમ ધારી, તે દાણા સાફ કરીને તે ખાઈ ગઈ. ૩ ત્રીજી પુત્રવધૂ રક્ષિકાએ તે દાણા એક ચેાખ્ખા કપડામાં બાંધ્યા અને રત્નના કરડિયામાં મૂકી, એશિકા નીચે સાચવી રાખ્યા૪; તથા દિવસમાં ત્રણ વાર તેમને સંભાળવા લાગી. સૌથી નાની રહિણીએ' તે દાણા લીધા. આ પ્રમાણે પાંચ પાંચ દાણા આપવાના મમ તે સમજી ગઈ. તેણે પેાતાના પિયરિયાંને મેલાવીને કહ્યું કે, વર્ષાઋતુની શરૂઆતમાં જ તમે એક નાના ચારામાં આ દાણાને વાવીને વાડ કરી સભાળજો. પાકને સમય થતાં જ એના પાંચે છેાડ ખૂબ ફૂલ્યા ફાલ્યા; અને તેમાંથી નવ ઘડા ભરાય તેટલી ડાંગર થઈ. બીજે વર્ષે પણ તેણે તે અધી ડાંગર પહેલાંની માર્ક વવરાવી; અને તેમાંથી અનેક કુડવ ડાંગર નીપજી, એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy