SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ver ટિપ્પણ આશરે સાત માઈલ ઉપર જગદીશપુર નામે એક ગામ છે. તે જિનપ્રભસૂરિના સમયમાં મિથિલા નામે પ્રસિદ્ધ હશે એથી એને મિથિલાના ખીન્ન પ્રસિદ્ધ નામ તરીકે તેમણે જણાવેલું છે. અઢારમા સૈકાના જનયાત્રી સીતામઢીને મિથિલા તરીકે ઓળખાવે છે. અને તેને પટણાથી ઉત્તરે ૫૦ ગાઉ ઉપર આવેલું બતાવે છે. જનયાત્રીઓના લખ્યા પ્રમાણે સીતામઢીથી ૧૪ કાશ ઉપર જનકપુરી નામે ગામ છે. આ જનકપુર અત્યારે પણ દરભંગાથી પશ્ચિમેાત્તર આવેલા જનકપુરરાડ સ્ટેશનથી પૂર્વોત્તર ૨૪ માઈલ ઉપર છે. અને સીતામઢીથી પૂર્વોત્તર તે લગભગ ત્રીશ માઈલ ઉપર છે. કેટલાક લેાકેા આ જનકપુરને જ મિથિલા કહે છે. ઉપર જણાવેલા યાત્રીએ સીતામઢીને મિથિલા માનવાનું કારણ જણાવતાં લખે છે કેઃ ―― મહિલા નામે પરગના, ચિ. કહીઈં દતર મહિ; પણ મહિલા ઋણુ નાંમને ચિ. ગાંમ વસે કાઈ નાંહિ. એટલે કે રાજ્યના દફતરમાં મહિલા નામનું પરગણું છે પણ એ નામનું કાઈ ગામ વસતું નથી. જિનવરનાં પગલાં સીતામઢીમાં જ છે માટે સીતામઢીને જ તે લેાકેાએ મહિલા-મિથિલા તરીકે ઓળખાવ્યું છે. ૩: સુબુદ્ધિ પાસેથી ક્રાશલના પડિબુદ્ધિએ નાગયજ્ઞ માટે નાગધરમાં ચંદરવામાં એક મોટા શ્રીદામગાઁડ (લટકતી માળાઓના ઈંડાકાર સમૂહ) સુકાયેલે. તેને તેને મંત્રી સુષુદ્ધિ નીરખી નીરખીને જોતા હતા તે વખતે રાજાએ તેને પૂછ્યું કે, “હે દેવાનુપ્રિય ! તું અનેક ગામ નગર તથા દેશદેશાંતરમાં કર્યો છે; તે તે કાંય આવા શ્રીદામગ ́ડ જોયા છે?” સુબુદ્ધિએ કહ્યું કે જ્યારે હું તમારા દૂત થઈ ને મિથિલા રાજધાનીમાં ગયેલા ત્યારે ત્યાં કુંભરાજાની રાણી પદ્માવતીએ પેાતાની પુત્રી .. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy