SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જિતેન્દ્રિય જ હોઈ શકે છે, એ બંધ આપવા માટે અને એ રીતે માણસને ધર્માભિમુખ કરવા માટે “અમાત્ય તેલિ” ની વાર્તા છે. માણસને ચેતવણી આપવા માટે અત્યંત દયાભાવથી દેવ કેકકેક વાર માણસને આફતમાં નાખે છે એ વસ્તુનું સૂચન આ વાર્તામાં છે. એ તરફ ખાસ ધ્યાન ખેંચાવું જોઈએ. પૂરેપૂરા એકરાગ એવા રાજા અને અમાત્ય વચ્ચે વિરોધ ઉત્પન્ન કરવા પાછળ પિટ્ટિલ દેવનો શુભ હેતુ જ હતો. આ વસ્તુ ધ્યાનમાં રાખીને પણ માણસે આવી અસહ્ય વિપત્તિને વધાવી લેવી જોઈએ. સાર્થવાહ ધન્ય સર્વ ધર્મ અને પંથના લોકોને જેમ સરખા જ ભાવથી સાથે રાખ્યા હતા અને બધાની સેવા કરવાને એને જેમ સરખો ઉત્સાહ હતો, તેવી વૃત્તિ હિંદુસ્તાનના લકે જે આજે રાખે, તો આપણે બધી જ મુશ્કેલીઓ ટળી જવાની છે. પિતાની જ ન્યાતના લેને મદદ કરવાની વૃત્તિ અથવા પિતાના ધર્મ અને સંપ્રદાયના લેકેને જ પક્ષ તાણવાની સંકુચિતતા મહાવીર સ્વામીને પસંદ ન હતી, એટલું જ નહિ, પણ જેમ નંદીફળ સામે ધન્ય સાર્થવાહે લોકોને પિકારી પોકારીને ચેતવ્યા હતા, તેમ સંકુચિતતા સામે ભગવાન મહાવીર માણસમાત્રને પિકારીને ચેતવે છે. અપરકંકા નગરી” વાળી વાતો અને તેમાં આવેલે દ્રૌપદીને ઉલેખ વાંચીને અનેક જાતના વિચારો મનમાં આવે છે. તપની પાછળ જે આસક્તિ હોય તો તે ગમે તેવું ઉગ્ર હોય છતાં ચિત્તશુદ્ધિ કરી શકતું નથી, એ મુખ્ય બેધ તે છે જ; પણ દ્રૌપદીની વાર્તા આ રૂપમાં જોઈને વિચાર થાય છે, કે મહાભારત લખાયા પહેલાંની જ આ હેવી જોઈએ. મહાભારત જેવું મહાકાવ્ય અને વિરાટ ઈતિહાસ લખાયા પછી દ્રૌપદીની વાર્તામાં આટલો ફેરફાર કરવાનું કેઈ ને મન થાય નહિ. મહાભારત પહેલાં પાંડવોની વાર્તા અહીં જેટલી સાદી હશે અને એ વાર્તાનાં પાઠાંતરે પણ ઘણું હશે. મહાભારતકારને એનું જે રૂ૫ પસંદ આવ્યું એ લઈને એણે પિતાની કે તે તમારા મનમાં આવે કરી શકતું નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy