SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપણે તેમના પરિચય માટે પણ ઉપર સુધર્મા માટે બતાવેલું સ્થાન જુએ. ૭ પૂણમ ચૈત્ય ચિત્ય એટલે ચિતા ઉપરનું સ્મારક. આ પૂર્ણભદ્ર ચિત્યનું વર્ણન કરતાં ઔપપાતિક સૂત્રમાં નીચે પ્રમાણે જણાવ્યું છે – “તેમાં નટ, નર્તકમલ, મૌષ્ટિક, વેબગ, પ્લવક, જd, કથક, રાસક, આખ્યાતા, લેખ,મંખ, તુંબ તથા વીણા વગાડનારા અને મારો પોતાના ગાયન, વાદન, ખેલન, હાસ્ય વગેરેના પ્રયોગો કર્યા કરતા હતા, આહાતાઓ તેમાં આહુતિઓ આપતા અને હજારો યાગોના લાગા ત્યા આવતા.” ૮: નાયાધમકહા આ સૂત્રની શરૂઆત કરતાં કહેવામાં આવ્યું છે કે “ આ છઠ્ઠા અંગના બે શ્રુતસ્કંધ કહ્યા છે. તેમાં પ્રથમ સ્કંધમાં જ્ઞાતોઉદાહરણ છે અને બીજામાં ધર્મકથાઓ છે.” તેમાં મૂળ શબ્દો યાનિ ચ વાગે જ છે. ટીકાકાર અભયદેવે એ મળને અનુસરીને “નાયાધમ્મકહા” શબ્દને “જ્ઞાતો – ઉદાહરણે અને ધર્મકથાઓ” એવો અર્થ કરેલો છે. તત્વાર્થભાષ્યમાં આ અંગને માટે “જ્ઞાતધર્મકથા” એ શબ્દનો ઉપયોગ થયેલો છે. તેને અતિહાસિક અર્થ કરવામાં આવે તો જ્ઞાત એટલે જ્ઞાતપુત્ર-મહાવીરે કહેલી ધર્મકથાઓ એવો અર્થ જરૂર થઈ શકે. પણ ભાષ્યના ટીકાકારે તેને સાત ટકાના . ટીકાકારે ચૈત્યને વ્યંતરાયતન-“ભૂત, વ્યંતરનું રહેઠાણ” કહે છે. ૨. મુષ્ટિયુદ્ધ કરનારા. ૩. વિડંબના – ટીખળ કરનારા. ૪. તરનારા ૫. દોરડા ઉપર ખેલનારા ૬. મોટા વાંસડાના અગ્રભાગ ઉપર ખેલનારા ૭. ચિત્રનાં પાટિયાં બતાવનારા ભિક્ષુએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy