________________
• अनुबन्धव्यवस्थाविमर्शः
१५४१ कुकृत्यं कृत्यमाभाति कृत्यं चाकृत्यमेव हि । अत्र व्यामूढचित्तानां कण्डूकण्डूयनादिवत् ।। ३० ।। स्वैरतया भूमिविहरणं तु भावसारं मित्रादिदृष्टिचतुष्टयोचितयोगाऽऽराधनं, डयनं च विशुद्धात्मस्वभावरमणतादिकमिति यथागममत्र योज्यं योगमार्गविशारदैः ।
पूर्वापराऽनुसन्धानाऽसमर्थानामनुग्रहार्थमत्र कर्मबन्धाऽनुबन्धव्यवस्थाऽस्माभिरुपदर्श्यते। तथाहि- अवेद्यसंवेद्यपदवर्तिनो जीवास्तावद् मुख्यतया द्वेधा भवाभिनन्दिनो मित्रादिदृष्टिसम्पन्नाश्च । सर्वेऽपि ते पुण्यं पापं च कर्म बन्धन्ति, तेषां प्रत्येकं चतुर्गतिगामित्वात् । तत्र भवाभिनन्दिनां पुण्यं पापं च पापाऽनुबन्ध्येव प्रबलतमरागादिग्रस्तत्वात्तेषाम् । ये च मित्रादिदृष्टिसम्पन्नाः अवेद्यसंवेद्यपदवर्तिनः तेषां सद्गुरुपारतन्त्र्ये सति बध्यमानं पुण्यं पापञ्च न पापानुबन्धि न वा पुण्यानुबन्धि, तत्र यथाक्रमं सामान्यतः सहजमलप्राबल्य-ग्रन्थिभेदयोः नियामकत्वात् । अवेद्यसंवेद्यपदवर्तिनामपि मित्रादिदृष्टिसम्पन्नानामासन्नमुक्तिगामिनामपुनर्बन्धकत्व-मार्गाभिमुख मार्गपतित-मार्गानुसारिताऽऽदिदशाविशुद्धौ सत्यां प्रीति-भक्त्यनुष्ठानेच्छायोग-तद्धेत्वनुष्ठानेच्छायम-सद्योगाऽवञ्चकयोगादिसाचिव्येन बध्यमानं पुण्यं स्वल्पपुण्याऽनुबन्धोपेतमपि सम्भवति, दृष्टिप्रतिपाते तत्सांमुख्ये वा पापाऽनुबन्धोऽपि तत्र सम्भवति । वस्तुतत्त्वनिर्णयाऽऽहितसत्प्रणिधानसत्त्वे तु मार्गानुसारिणोऽप्रशस्ताऽपि प्रवृत्तिः कर्मपारतन्त्र्यप्रयुक्ता निरनुबन्धैव । अत एव पञ्चाशके मग्गाणुसारिणो खलु तत्ताभिणिवेसओ सुभा चेव । होइ समत्ता चेट्ठा असुभा वि य णिरणुबंध त्ति । । ← (પગ્યા.૬/૪૦) ફત્તુમ્ । ધિનુવદુશ્રુતેભ્યોઽવસેયમ્ ।।૨૨/૨૬।।
-
Jain Education International
•
:
તે
વિશેષાર્થ :- અવેદ્યસંવેદ્યપદમાં રહેલા જીવો બે પ્રકારના છે. (૧) ભવાભિનંદી અને (૨) મિત્રાદિ ચાર દૃષ્ટિને પામેલ. તેઓ પ્રવૃત્તિ-વૃત્તિ દ્વારા પુણ્ય અને પાપ બન્ને પ્રકારના કર્મ બાંધે. તેમાં ભવાભિનંદી જે પુણ્ય બાંધે તે પાપના અનુબંધવાળુ જ હોય. તથા મિત્રા વગેરે ચાર યોગદૃષ્ટિમાંથી એકાદ યોગદૃષ્ટિને પામેલો સદ્ગુરુસમર્પિત જીવ જે પુણ્ય બાંધે તે પુણ્યના કે પાપના અનુબંધ વિનાનું હોય છે. પ્રથમ ચાર દૃષ્ટિને પામેલ જીવને યોગપ્રવૃત્તિ દ્વારા બંધાતું પુણ્ય પુણ્યાનુબંધી ન હોવાનું કારણ એ છે કે તેણે ગ્રંથિભેદ કર્યો નથી. તથા તે પુણ્ય પાપાનુબંધી ન હોવાનું કારણ એ છે કે તે સદ્ગુરુને સમર્પિત છે. કદાગ્રહશૂન્ય છે, ભવભીરુ છે, સંતોષી છે, મોક્ષમાર્ગને સન્મુખ છે, મોક્ષમાર્ગને અનુસરનાર છે. ઊંડાણથી વિચાર કરતાં જણાય છે કે સમકિતી જીવને પુણ્યનો જેવો અત્યંત બળવાન અનુબંધ હોય તેવો પ્રબળ પુણ્યાનુબંધ મિત્રા વગેરે ચાર યોગદૃષ્ટિમાં રહેલા જીવને ન હોય. તે અપેક્ષાએ તે પુણ્યને નિરનુબંધી કહેલું હોય તેમ સમજાય છે. પ્રથમ ચાર યોગદૃષ્ટિમાં રહેલા જીવો ચાંદી જેવા છે. સમકિતી જીવો સુવર્ણતુલ્ય છે. અથવા એમ કહી શકાય કે અવેઘસંવેદ્યપદ = પિત્તળ. વેઘસંવેદ્યપદ – સુવર્ણ. ભવાભિનંદી = માત્ર પિત્તળનો દાગીનો. સમકિતી શુદ્ધ સુવર્ણ આભૂષણ. યોગની પ્રથમ ચાર દૃષ્ટિવાળા જીવો એટલે પિત્તળમિશ્રિત સુવર્ણના દાગીના. તેથી અવેઘસંવેદ્યપદના (પિત્તળના) ઉત્કૃષ્ટ દોષનું વર્ણન આદ્ય ચાર દૃષ્ટિવાળા યોગી પુરુષોમાં લાગુ પાડી ન શકાય.
=
ભવાભિનંદી જીવ જે પાપ બાંધે તે પાપાનુબંધી જ હોય છે. પરંતુ અવેદ્યસંવેદ્યપદ હોવાછતાં યોગની ચાર દૃષ્ટિમાંથી કોઈ પણ દૃષ્ટિને પામેલ જીવ પાપ બાંધે તો તે પાપ પાપાનુબંધી ન હોય. કારણ કે યોગબીજસંપન્ન તે જીવ મોક્ષમાર્ગને અભિમુખ થયો છે, મોક્ષમાર્ગને અનુસરનાર થયો છે, ગ્રન્થિદેશની નજીક આવેલ છે, નજીકના ભવિષ્યમાં અવશ્ય ગ્રંથિભેદ કરનાર છે, ઈચ્છાયોગમાં આગળ વધી રહેલ છે, પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાનમાં ઝૂલી રહ્યો છે. જો અતિતીવ્ર રાગાદિસંક્લેશના કારણે તે જીવ યોગદૃષ્ટિથી ભ્રષ્ટ થાય કે પતનને સન્મુખ થાય તો પાપાનુબંધી પાપ પણ બાંધી શકે – આવું જણાયછે.આ બાબતમાં વિશેષ જાણકારી અનુભવજ્ઞાની ગીતાર્થ મહાત્મા પાસેથી મેળવવી. (૨૨/૨૯)
ગાથાર્થ :- અવેઘસંવેદ્યપદમાં રહેલા મૂઢમનવાળા જીવોને ખરાબ કામ કરવા જેવા લાગે છે તથા કર્તવ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org