________________
१३८४
• अध्यात्मनिष्ठतया क्रियाकरणविधानम् • द्वात्रिंशिका-२०/२६ (२) तारा दृष्टिोमयाग्निकणसदृशी, इयमप्युक्तकल्पैव, तत्त्वतो विशिष्टस्थितिवीर्यविकलत्वात् । ननुष्ठानमिति यावत् तात्पर्यम् । प्रकृते → इन्द्रियैः कर्माण्यहं करोमीत्यध्यात्मनिष्ठतया कृतं कर्मैव कर्म - (निरा.२४) इति निरालम्बोपनिषद्वचनतात्पर्यमपि यथातन्त्रमनुयोज्यम् । न चैवमलमनयाऽननुष्ठानाऽऽपादिकया दृष्ट्येति वाच्यम्, अस्या दृष्ट्या भाववन्दनाद्यनुपधायकत्वेऽपि अंशतः सम्यग्बोधरूपत्वेनाऽतिमन्दशुभबन्ध-स्वल्पतमसकामनिर्जरानिमित्तत्वाऽनपायात्, अन्यथा तदुत्तरास्वपि दृष्टिषु तदनुपपत्तेरिति । इदमेवाभिप्रेत्य योगदृष्टिसमुच्चयवृत्तौ → अवन्ध्यसदृष्टिहेतुत्वेन मित्रादिदृष्टीनामपि सतीत्वाद् - (यो.दृ.स.गा.१५ वृ. ) इत्येवं श्रीहरिभद्रसूरिभिरुक्तम् । शुक्लपक्षीयद्वितीयायाः शशिनः कालान्तरे पूर्णप्रकाशप्राप्तिवदिदं भावनीयम् । सम्मतञ्चेदं परेषामपि । तदुक्तं आत्मप्रबोधोपनिषदि → स्वल्पोऽपि बोधो निबिडं बहुलं नाशयेत् तमः ।। - (आ.प्र.२८) इति । इयञ्च मित्रा दृष्टिः चरमावर्त एव लभ्यते, तदुक्तं अध्यात्मतत्त्वालोके → अन्त्ये परावर्त इमां च दृष्टिं कल्याणरूपां लभते सुभागः । હેતુ: પરો પાવમસ્વિતાSત્ર ઘને મને નો સતિ સર્વવૃદ્ધિઃ || ૯ (તસ્વ.૩/૮૬)
(२) मित्रापेक्षया मनाक् तारत्वगर्भप्रकाशशालितया यथार्थाभिधाना द्वितीया तारा दृष्टिः गोमयाऽग्निकणसदृशी आंशिकशुद्धात्मतत्त्व संवेदनगर्भा हेयोपादेयगोचरा । इयं द्वितीया दृष्टिः मित्राऽपेक्षोत्कर्षशालिनी सती अपि उक्तकल्पैव = मित्रासदृश्येव, मित्राऽऽसन्नतमतया तत्त्वतः = परमार्थतो विशिष्टस्थिति
(કહેવાનો આશય એ છે કે જેમ ઘાસને આગ લાગે ત્યારે તે સળગી ઉઠે છે. ત્યાર બાદ એ આગ ઓલવાઈ જાય ત્યારે તેના કણીયા-અગ્નિકણ રહે છે. આ અગ્નિકણને બૂઝાઈ જતાં વાર ન લાગે તેમ મિત્રાદષ્ટિવાળા યોગીનો બોધ પણ લાંબો સમય ટકતો નથી. એથી તે જીવ પ્રભુવંદનાદિ ક્રિયા કરતો નથી. કરે તો પણ બોધ ભૂલાઈ જવાથી ભાવથી આરાધના ન કરે. ભાવોલ્લાસપૂર્વક વિધિ-જયણાપૂર્વક આરાધના ન કરી શકવાના લીધે તેનો બોધ નિષ્ફળપ્રાયઃ બને છે. જે આરાધના સામાન્ય ભાવથી કરે તે પણ લાંબો સમય ચાલતી નથી. માટે તેને ગુરુઉપદેશના પ્રભાવે, મિથ્યાત્વની મંદતાના સહકારથી, “મારે આત્મહિત સાધવું છે' આવી રુચિ-શ્રદ્ધા પ્રગટે છે. પણ વિપરીત નિમિત્તો મળતાં તે શ્રદ્ધા ભાંગી પડે છે. કેમ કે તે અલ્પબળવાળી છે. માટે શ્રદ્ધાસંપન્ન બોધ પણ લાંબો સમય ટકતો નથી. શાસ્ત્રબોધ કદાચ જ્ઞાનાવરણના ક્ષયોપશમથી લાંબો કાળ ટકે. પણ શ્રદ્ધાસંપન્ન, આત્મકલ્યાણરુચિવાળો બોધ લાંબો સમય ટકતો નથી. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે સૌપ્રથમ આંશિક શુદ્ધઆત્મસ્વરૂપગોચર અનુભવજ્ઞાન મિત્રાદષ્ટિમાં મળે છે. પણ તે અતિઅલ્પકાલીન હોય છે.)
(૨) તારા દૃષ્ટિ છાણના અગ્નિકણ સમાન હોય છે. આ દષ્ટિ પણ મિત્રાદષ્ટિ જેવી જ છે. અર્થાત તારાદષ્ટિવાળા યોગીનો બોધ પણ મિત્રાદષ્ટિવાળા યોગીના બોધ જેવો જ હોય છે. કારણ કે પરમાર્થથી દીર્ઘ કાળ અને વિશિષ્ટ બળથી રહિત છે. મતલબ કે મિત્રાદષ્ટિની જેમ તારાદષ્ટિમાં પણ શ્રદ્ધાસંપન્ન બોધ લાંબો સમય ટકતો નથી તથા તેનું વિશિષ્ટ બળ હોતું નથી. માટે તારાદષ્ટિ સ્વરૂપ બોધથી પણ પ્રભુવંદનાદિ ધર્મઆરાધનાના સમયે સ્મરણમાં દઢતા આવતી નથી. શાસ્ત્રોક્ત રીતે અનુષ્ઠાન કરવાની સ્મૃતિમાં મજબૂતાઈ ન હોય તો ધર્મસાધના ખોડખાંપણવાળી થાય છે. તેથી ભાવથી આરાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org