SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ • વાધ્યાપેક્ષા:પ્રજ્ઞાપનાયત્તતા • ९२१ अपि बाध्या फलाsपेक्षा सदनुष्ठानरागकृत् । सा च प्रज्ञापनाऽधीना मुक्त्यद्वेषमपेक्षते' ।। २१ ।। अपीति । बाध्या = बाधनीयस्वभावा फलापेक्षाऽपि = सौभाग्यादिफलवांछाऽपि ( सदनुष्ठानरागकृत् = ) सदनुष्ठाने रागकृत् = રામારી | સ = = बाध्यफलाsपेक्षा च प्रज्ञापनाधीना उपदेशाऽऽयत्ता मुक्त्यद्वेषमपेक्षते कारणत्वेन ।। २१ ।। यतः = बाधस्वभावा नन्वेवं बाध्यफलाऽपेक्षायां सत्यामपि तादृशसदनुष्ठानरागः प्रसज्येतेत्याशङ्कायामाह - 'अ' । निवर्तनीयस्वभावा सौभाग्यादिफलवाञ्छाऽपि मुक्त्युपायत्वेन सदनुष्ठाने तपोविशेषलक्षणे रागकारिणी । कस्माद् बाध्येयम् ? इत्याशङ्कायामाह उपदेशाऽऽयत्ता = शास्त्राद्युपदेशसापेक्षा । कारणविरहे प्रतिबन्धकाऽभावमात्रेण कार्योत्पत्तिर्नाऽभिमता कस्याऽपि विपश्चित इत्याह- मुक्त्यद्वेषं सदुपदेशबाध्यफलाऽपेक्षा कारणत्वेन रूपेण अपेक्षते मुक्त्युपायत्वप्रकारकसदनुष्ठानरागजनने ।।१३/२१।। સદનુષ્ઠાન રાગ ઉભો ન થાય તો તે મુક્તિઅદ્વેષ તકેતુઅનુષ્ઠાનને અપાવી ન શકે. માટેઅભવ્ય જીવોની ચારિત્રઆરાધના તતુઅનુષ્ઠાન બનવાની અતિવ્યાપ્તિ = અનિષ્ટ સમસ્યા આવવાને કોઈ અવકાશ હવે રહેતો નથી.(૧૩/૨૦) = Jain Education International - ♦ બાધ્ય ફ્લાપેક્ષા સદનુષ્ઠાનરાગકારક ગાથાર્થ :- બાધ્ય ફલાપેક્ષા પણ સદનુષ્ઠાનમાં રાગ કરાવનારી છે. તે ઉપદેશને આધીન છે. તથા મુક્તિદ્વેષની અપેક્ષા રાખે છે. (૧૩/૨૧) ટીકાર્થ :- જે ફલાકાંક્ષાનો સ્વભાવ દૂર થવા યોગ્ય હોય તેવા સ્વભાવવાળી હોય તે સૌભાગ્ય આદિ ફલની ઈચ્છા પણ સદનુષ્ઠાનમાં રાગ કરાવનારી થાય છે. તેવી બાધ્યસ્વભાવવાળી ફલેચ્છાની ઓળખાણ એ છે કે તે ઉપદેશને આધીન હોય છે. તથા સદનુષ્ઠાનરાગને ઉત્પન્ન કરવા માટે તે બાધ્ય ફલાપેક્ષા મુક્તિઅદ્વેષની કારણ તરીકે અપેક્ષા રાખે છે. (૧૩/૨૧) વિશેષાર્થ :- રોહિણી તપ વગેરે કરનાર અપુનર્બંધક જીવમાં સૌભાગ્ય વગેરે ફળની અપેક્ષા શાસ્ત્રોપદેશ, ગુરુઉપદેશ વગેરેને આધીન હોવાથી બાધ્ય કહેવાય છે. પરંતુ એકલી તે ફલાપેક્ષા સદનુષ્ઠાનના રાગને પેદા નથી કરતી. પણ મુક્તિઅદ્વેષસહિત એવી તે બાધ્યફલાપેક્ષા સદનુષ્ઠાનરાગને જન્માવે છે. માટે બાધ્ય ફલાપેક્ષાથી યુક્ત એવા મુક્તિઅદ્વેષથી કે મુક્તિરાગથી ઊભો થયેલ ક્રિયારાગ તદ્વેતુઅનુષ્ઠાનનું બીજ છે – એવું માનવામાં કોઈ સમસ્યા રહેતી નથી. કહેવાનો આશય એ છે કે ‘ચારિત્રપાલન દ્વારા મને દેવલોક મળો, ચક્રવર્તીની પદવી મળો' ઈત્યાદિ સ્વરૂપે નિયાણુ કરનાર વ્યક્તિની ફલકામના બાધ્ય નથી, દૂર થવાના સ્વભાવવાળી નથી. કારણ કે તેવું નિયાણુ કરવું તે શાસ્ત્રસાપેક્ષ નથી. પણ ‘અખંડ સૌભાગ્યની ઈચ્છા કરનારે રોહિણી તપ કરવો, રોહિણી તપનું ફળ સૌભાગ્ય છે.' આવા શાસ્ત્રોપદેશને સાપેક્ષ રહીને સૌભાગ્યની કામના કરનાર ચરમાવર્તી ભવ્ય જીવ રોહિણીતપ કરે તો તેની સૌભાગ્યકામના શાસ્ત્રોપદેશને આધીન હોવાથી બાધ્ય = દૂર થવાના સ્વભાવવાળી કહેવાય. તેથી તેવા જીવમાં રહેલ મુક્તિદ્વેષ સૌભાગ્યકામના હોવા છતાં મોક્ષસાધનરૂપે સદનુષ્ઠાનવિષયક રાગ પ્રગટાવવા સમર્થ બની શકે છે. તેથી તેવા જીવની આદર-ઉપયોગયુક્ત તપ વગેરે આરાધના તદ્ભુતુ અનુષ્ઠાનસ્વરૂપ બને છે. આમાં કોઈ શંકા નથી. તે તપઆરાધનાને ભવભ્રમણનું કારણ કહી ન શકાય. તેમ જ તેને વખોડી ન શકાય. તેવા જીવો તેવી રીતે જ ધર્મશ્રદ્ધા દૃઢ કરતાં કરતાં મોક્ષમાર્ગે આગળ વધે છે.(૧૩/૨૧) છુ. હસ્તાવશે ‘મુપેક્ષ્યત' ત્યશુદ્ધ: પા:। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004940
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 3
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages358
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy