________________
८१२
कौटस्थ्यनिरुक्तिः
द्वात्रिंशिका - ११/२७
निमित्तत्वेऽपि कौटस्थ्यमथास्यापरिणामतः । स्याद् भेदो धर्मभेदेन तथापि भवमोक्षयोः ।। २७ ।। “નિમિત્તત્તેડી'તિ | ઞચ ઞસ્ય = आत्मनो निमित्तत्वेऽपि सत्त्वनिष्ठामभिव्यङ्ग्यां चिच्छक्तिं प्रति अपरिणामतः परिणामाऽभावात् कौटस्थ्यम् । 'अकारणमित्यस्यानुपादानकारणमित्यर्थात् उपादानकारणस्यैव परिणामित्वात् परिणामस्य चावस्थान्तरगमनलक्षणत्वादिति भावः ।
पूर्वपक्षी युक्त्यन्तरेणाऽऽत्मनः कौटस्थ्यमुपपादयति- 'निमित्तत्वेऽपीति । अथ 'न प्रकृतिर्न विकृतिः पुरुषः' (सां.का. ३) इति साङ्ख्यकारिकावलात् पुरुषगतमकारणत्वमनुपादानत्वलक्षणमकार्यत्वञ्चानुपादेयत्वलक्षणमङ्गीक्रियते । अतः सत्त्वनिष्ठां = सत्त्वप्रधानचित्तनिष्ठां अभिव्यङ्ग्यां चिच्छक्तिं प्रति चित्तस्योपादानकारणत्वं आत्मनः च तत्र निमित्तत्वेऽपि निमित्तकारणत्वोपगमेऽपि परिणामाऽभावात् = परिणामिकारणत्वविरहात् कौटस्थ्यं निरावाधमेव । शिष्टं स्पप्टम् ।
=
=
•
છે. તથા ચિત્તવૃત્તિનિરોધ થયા પછી દ્રષ્ટા પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય છે. તેમ છતાં પુરુષ સદા એક સ્વરૂપે જ રહેલો છે. અર્થાત્ ઉપરત સુખાદિભોક્તત્વ હોવા છતાં આત્મામાં કૂટસ્થત્વ તો એકરૂપ જ હોય છે. આ પ્રમાણે પાતંજલ વિદ્વાનો સમાધાન આપે છે. પરંતુ વસ્તુતઃ આ સમાધાન યુક્તિગમ્ય નથી. કારણ કે વૃત્તિનિરોધકાલપૂર્વે વૃત્તિઓમાં પુરુષ પ્રતિબિંબિત થવાથી પુરુષ ઉપચરિતપણે સુખાદિભોક્તા છે. તથા ત્યાર બાદ અંતઃકરણની વૃત્તિમાં આત્મપ્રતિબિંબ ન પડવાથી આત્મા પોતાના સ્વરૂપમાં રહે છે. ચિત્તવૃત્તિમાં પોતાનું પ્રતિબિંબ પાડવું અને ન પાડવું- આમ સ્પષ્ટ બે ભિન્ન અવસ્થા ઉપલબ્ધ થવાથી આત્મગત ફૂટસ્થત્વ બાધિત થશે. તેથી સર્વદા આત્મામાં સર્વથા એક સ્વરૂપ અપ્રામાણિક સિદ્ધ થાય છે. બાકીની વાત ટીકાર્થમાં સ્પષ્ટ છે. (૧૧/૨૬)
ગાથાર્થ :- ‘પુરુષ નિમિત્ત હોવા છતાં પરિણામી ન હોવાથી ફૂટસ્થ અબાધિત રહેશે' - આમ પાતંજલ વિદ્વાનો તરફથી કહેવામાં આવે તો પણ ધર્મભેદથી સંસાર અને મોક્ષ અવસ્થામાં આત્માનો ભેદ થશે જ. (૧૧/૨૭)
ટીકાર્થ :- પાતંજલ વિદ્વાનો એમ કહે છે કે → સત્ત્વપ્રધાન અંતઃકરણમાં રહેલી અભિવ્યંગ્ય ચિત્રશક્તિ પ્રત્યે આત્મા નિમિત્ત હોવા છતાં તેવા પ્રકારના પરિણામને ધારણ કરતો નથી. તેના પ્રત્યે પુરુષ પરિણામી કારણ બનતો ન હોવાથી આત્મામાં ફૂટસ્થતા અબાધિત જ રહેશે. ‘પુરુષ કોઈનું કારણ નથી.' એ પ્રાચીન શાસ્રવચનનો અર્થ એટલો જ છે કે ‘આત્મા કોઈનું ઉપાદાન કારણ નથી, પરિણામી કારણ નથી.' ઉપાદાન કારણ કહો કે પરિણામી કારણ કહો. બન્ને એક જ બાબતને દર્શાવે છે. કારણ કે ‘પરિણામ’ શબ્દનો અર્થ છે અન્ય અવસ્થાને પામવી. પુરુષ ચિત્તગત અભિવ્યંગ્ય ચિત્રશક્તિનું નિમિત્ત કારણ હોવા છતાં પણ જડ અંતઃકરણ સ્વરૂપે કે અભિવ્યંગ્ય ચિત્રશક્તિરૂપે પરિણમતો નથી. માટે આત્માનું ફૂટસ્થનિત્યત્વ અબાધિત જ છે. (અહીં પાતંજલ વિદ્વાનોનો કહેવાનો આશય એ છે કે જ્યારે પુરુષનું પ્રતિબિંબ અંતઃકરણવૃત્તિમાં પડે છે ત્યારે બુદ્ધિનિષ્ઠ = અંતઃકરણનિષ્ઠ અભિવ્યંગ્ય ચિક્તિની અભિવ્યક્તિ થાય છે. અર્થાત્ ત્યારે બુદ્ધિને ચિક્તિનું ભાન થાય છે. આ જે અભિવ્યંગ્ય એવી ચિત્રશક્તિની અભિવ્યક્તિ થાય છે તેના પ્રત્યે બુદ્ધિ ઉપાદાનકારણ છે અને પુરુષ નિમિત્તકારણ છે. સત્ત્વપ્રધાન અંતઃકરણમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે ત્યારે પ્રતિબિંબિત ચૈતન્યવિશિષ્ટ અંતઃકરણ એ જ અભિવ્યંગ્ય ચિત્ત્શક્તિ કહેવાય છે. તથા અભિવ્યંગ્ય-ચિક્તિઆકાર પરિણામ તે બુદ્ધિની વૃત્તિ કહેવાય છે. અભિવ્યંગ્ય ચિત્ શક્તિ બુદ્ધિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org