SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ७४० • ચાલો, મગજની તંદુરસ્તી કેળવીએ • • ૧૦. નયલતાની અનુપેક્ષા છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. મોક્ષનું મુખ્ય કારણ યોગ શા માટે છે ? તેના કારણ જણાવો. ૨. અચરમાવર્તકાળમાં જીવ મોક્ષમાર્ગથી વિમુખ શા માટે છે તે સમજાવો. ૩. લોકપંક્તિ એટલે શું ? તે સમજાવો. ૪. ભવાભિનંદી જીવને લોકપંક્તિથી થતી ધર્મક્રિયાનું ફળ શું મળે છે ? ૫. વિવેકદૃષ્ટિગર્ભિત જનપ્રિયત્ન યોગ્ય કઈ રીતે ? તે સમજાવો. ૬. સ્ત્રીને વિષે ૩ કક્ષા સમજાવો. ૭. પ્રણિધાનાદિ ૫ આશયથી મોક્ષ કઈ રીતે પામી શકાય ? ૮. પ્રવૃત્તિનું નિરૂપણ કરો. (બી) નીચેના પ્રશ્નનો સંક્ષેપમાં જવાબ આપો. ૧. દ્રવ્યપુદ્ગલપરાવર્તકાળ કોને કહેવાય ? ૨. અચરમાવર્તકાળમાં જીવ મુખ્યતાએ કેવો હોય છે ? ૩. લોકપંક્તિને વિષે વિવેકદૃષ્ટિનું ફળ જણાવો. ૪. અનાભોગવાળા જીવની લોકરંજન માટે થતી ધર્મક્રિયા સારી ક્યારે કહેવાય ? ૫. વિનિયોગની વ્યાખ્યા જણાવો. ૬. વિનિયોગનું ફળ જણાવો. ૭. ચરમાવર્તકાળ યોગપરિણામનું કારણ કઈ રીતે બને છે ? ૮. ચરમાવર્તકાળમાં તત્ત્વમાર્ગને જાણવાની ઈચ્છા થતી નથી એ માટેનું ઉદાહરણ જણાવો. ૯. યોગની જિજ્ઞાસાથી કર્મનિર્જરા કઈ રીતે થાય ? ૧૦. શુભભાવથી વણાયેલી ધર્મક્રિયા કોના જેવી છે ? કઈ રીતે ? (સી) ખાલી જગ્યા પૂરો. ૧. અચરમાવર્તવર્તી જીવ .... સંજ્ઞામાં જ આદર કરનાર હોય છે. (ધર્મ, લોક, ઓઘ) ૨. અચરમાવર્તવર્તી જીવ .......... ના ઉદયને રોકી શકતો નથી. (સંજ્ઞા, પુણ્ય, પાપ) ૩. જુવર ........ વિપ્ન છે. (જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ). ૪. વિનજયની સંખ્યા ......... છે. (૪, ૫, ૩) ૫. તાત્વિક ધર્મપ્રાપ્તિ એ ..... કહેવાય છે. (પ્રવૃત્તિ, સિદ્ધિ, વિનિયોગ) ૬. બીજાને ધર્મમાં જોડવા તેને .......... કહેવાય છે. (પરોપકાર, વિનિયોગ, વિધ્વજય) ૭. અચરમાવર્તકાળમાં ....... યોગ્યતા હોવા છતાં યોગમાર્ગનો સંભવ નથી. (સ્વરૂપ, ફળ,સહકારી) ૮. સાંખ્યમાન્ય પ્રકૃતિ જૈનર્શનમાં .......... કહેવાય છે. (કર્મ, આત્મા, જ્ઞાન) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004940
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 3
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages358
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy