________________
• धर्मवादे प्रमाणलक्षणानुपयोगः
५७१ 'केवलं केवलव्यतिरेक्येव लक्षणमिति नादरः, प्रमेयत्वादेरपि पदार्थलक्षणत्वव्यवस्थितेः इत्यन्यत्र विस्तरः ।
वस्तुतो धर्मवादे लक्षणस्य नोपयोगः, स्वतन्त्रसिद्धाऽहिंसादीनां तादृशधर्मान्तरसंशय - जिज्ञासा
ननु लक्षणमात्रं केवलव्यतिरेक्येव भवति । तथाहि 'गौः गोत्ववान् सास्नादिमत्त्वात्, यन्नैवं तन्नैवं यथा महिषादिः' इत्यादौ सर्वेषां गवां पक्षान्तर्भावेनाऽन्वयदृष्टान्तविरहात्केवलव्यतिरेक्येव गोलक्षणम् । यद्वा पृथिवी स्वेतरभिन्ना गन्धवत्त्वाद्, यन्नैवं तन्नैवं यथा जलमिति केवलव्यतिरेकिलक्षणप्रयोगो ज्ञेयः । यद्वा 'सर्वे तीर्थंकरा अनन्तबलिनोऽष्टप्रातिहार्यवन्तश्च' इत्येवं तीर्थकरलक्षणप्रतिपादनेऽतीर्थङ्करेषु तल्लक्षणव्यावृत्त्या पुरोवर्तिनि तीर्थकृति तीर्थकरत्वनिश्चयात्केवलव्यतिरेक्येव लक्षणम् । न हि तीर्थकरद्वयदर्शनं सामान्येन जनेन कर्तुं पार्यते, येनेदं लक्षणमन्वयव्यतिरेकि स्यादिति भावः । एवं सर्वत्रैवावगन्तव्यमित्याशयवतां मतमपक्षिपन्नाह- 'केवलमिति । केवलव्यतिरेक्येव, न तु केवलान्वयि अन्वयव्यतिरेकि वा, लक्षणं इति नादरो जैनानाम्, प्रमेयत्वादेरपि पदार्थलक्षणत्वव्यवस्थितेः । प्रमेयत्वादेः प्रमाविषयत्वादिरूपस्य केवलान्वयित्वेऽपि पदार्थलक्षणत्वं शास्त्रप्रसिद्धमेवेति केवलव्यतिरेक्येव लक्षणमित्येकान्तो न श्रेयान् इत्यन्यत्र विस्तरः ।
वस्तुतः प्रकृते असद्ग्रहनिवृत्त्यादिफलजनके धर्मवादे लक्षणस्य = समानाऽसमानजातीयव्यवच्छेदकारिणः प्रमाणलक्षणस्य न कश्चिद् उपयोगः सम्भवति । कस्मात् ? उच्यते, स्वतन्त्रसिद्धाऽहिंसादीनां આ વલવ્યતિરેકી લક્ષણ મીમાંસા હૂઁ
પૂર્વપક્ષ :- જે કેવલવ્યતિરેકી હોય તે જ લક્ષણ બની શકે. કહેવાનો આશય એ છે કે લક્ષણના આશ્રયભૂત તમામ પદાર્થને લક્ષ્ય અંતર્ગત કરીને લક્ષણ દ્વારા જ્યાં વિશેષગુણધર્મનો નિશ્ચય કરવાનો હોય ત્યાં તે લક્ષણ વ્યતિરેકી જ હોય છે. દા.ત. ‘તીર્થંકરો અતુલબલી હોય છે' આવા લક્ષણ દ્વારા સામેની વ્યક્તિનો તીર્થંકરરૂપે નિશ્ચય કરવા માટે અન્ય તીર્થંકરમાં એ લક્ષણ છે કે નહિ ? એ નિર્ણય કરવો શક્ય નથી. કારણ કે એકત્ર બે તીર્થંકર હાજર નથી હોતા. તેથી સમવસરણમાં સિંહાસન ઉપર બેસીને દેશના આપનાર વ્યક્તિ તીર્થંકર છે કે નહિ ? એનો નિર્ણય કરવા તે સિવાયના અતીર્થંકર તરીકે પ્રસિદ્ધ માણસમાં અતુલબલરૂપ તીર્થંકરલક્ષણ જાય છે કે નહિ ? તેનો વિચાર કરવો જરૂરી બને છે. અનેકવિધ અન્ય વ્યક્તિમાં અતુલબલસ્વરૂપ તીર્થંકરલક્ષણ ગેરહાજર હોવાથી અતુલબલી ધર્મદેશક વ્યક્તિ તીર્થંકર છે. એમ સિદ્ધ થાય છે. આમ સર્વત્ર લક્ષણ તો કેવલવ્યતિરેકી જ હોય છે. જે કૈવલવ્યતિરેકી ના હોય તે લક્ષણ બની ના શકે.
ઉત્તરપક્ષ :- આ વાત વ્યાજબી નથી. કારણ કે કૈવલવ્યતિરેકી હોય તેને જ લક્ષણ માનવામાં પ્રમેયત્વ વગેરે કેવલાન્વયી લક્ષણ નહિ બની શકે. તેથી અવ્યાપ્તિ આવશે. કહેવાનો આશય એ છે કે પદાર્થનું લક્ષણ પ્રમેયત્વ છે. પરંતુ પ્રમેયત્વનો ક્યાંય પણ અભાવ નથી હોતો. માટે પ્રમેયત્વ કેવલાન્વયી છે, કેવલવ્યતિરેકી નથી. તેથી કેવલવ્યતિરેકીને લક્ષ્યનું લક્ષણ માનવામાં આ રીતે અવ્યાપ્તિદોષ આવવાથી કેવલવ્યતિરેકીને લક્ષણનું લક્ષણ માની ન શકાય. આ વાતનો વિસ્તાર અન્ય ગ્રંથમાં જોવાની ગ્રંથકારશ્રી ભલામણ કરે છે.
વસ્તુતો. । વાસ્તવમાં તો ધર્મવાદમાં પ્રમાણના લક્ષણનો કોઈ ઉપયોગ નથી. માટે તેનું લક્ષણ કહેવામાં કોઈ પ્રયોજન જણાતું નથી - એમ જણાવેલ છે આનું પણ કારણ એ છે કે પોતપોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org