SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ • प्रमाणलक्षणप्रणयनेऽनवस्थाऽऽपादनम् • इति । यदि च प्रमाणान्तरेण तन्निश्चयस्तदाऽऽह- तन्निश्चये = प्रमाणान्तरेण तल्लक्षणनिश्चये अनवस्थानात् = तन्निश्चायकप्रमाणेऽपि प्रमाणान्तराऽपेक्षाऽविरामात्' । यदि च प्रमाणान्तरेणाऽनिश्चितमेव लक्षणं प्रमाणनिश्चये उपयुज्यते इतीष्यते तदाह- अन्यथा = अन्यतोऽनिश्चितस्य लक्षणस्योपयोगे अर्थस्थितेः = अन्यतोऽनिश्चितेनैव प्रमाणेनाऽर्थसिद्धेः । तदुक्तं हरिभद्राचार्येण"प्रमाणेन विनिश्चित्य तदुच्येत न वा ननु । अलक्षितात्कथं युक्ता न्यायतोऽस्य विनिश्चितिः।। उक्तार्थ एव संवादमाह - तदुक्तं हरिभद्राचार्येण अष्टकप्रकरण इति शेषः । 'प्रमाणेने'ति, 'सत्यामिति च । कारिकायुगलव्याख्या चैवम् → ननु इति प्रमाणलक्षणप्रणायकमताऽऽशङ्कायाम् । ततश्चाह प्रमाणलक्षणप्रणेतुः प्रमाणेन = प्रत्यक्षादिना विनिश्चित्य = निर्णीय तत् = प्रमाणलक्षणं उच्येत = अभिधीयेत त्वया न वा इति अन्यथा वा ? तत्र यद्याद्यः पक्षस्तदा यत्तत्प्रमाणलक्षणनिश्चायकं प्रमाणं तल्लक्षणतो निश्चितमनिश्चितं वा स्यात् ? यदि निश्चितं तत्, तदा किं तेनैवाधिकृतप्रमाणेन જેમ પ્રમાણલક્ષણ પણ નિશ્ચિત હોય એ જરૂરી છે કે પ્રમાણલક્ષણ અનિશ્ચિત હોય તો પણ ચાલે ? જો પ્રથમ વિકલ્પનો અંગીકાર કરવામાં આવે તો ત્યાં ફરીથી બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે (૧) અર્થનિર્ણાયક પ્રમાણને પ્રમાણ તરીકે નિશ્ચિત કરાવનાર પ્રમાણલક્ષણનો નિશ્ચય પ્રસ્તુત પ્રમાણ દ્વારા જ થાય છે કે (૨) અન્ય પ્રમાણ દ્વારા? જો તે જ પ્રમાણ દ્વારા તે પ્રમાણલક્ષણનો નિશ્ચય થતો હોય તો અન્યોન્યાશ્રય = ઈતરેતરાશ્રય દોષ આવશે. મતલબ કે વિવક્ષિત પ્રમાણ દ્વારા જ જો પ્રમાણલક્ષણનો નિશ્ચય કરવામાં આવે તો બન્નેને પોતાના નિશ્ચયમાં એકબીજાની જરૂરત પડશે. અને આવું બનવાથી એકેયનો નિશ્ચય નહિ થઈ શકે. જ્યાં સુધી પ્રમાણલક્ષણ દ્વારા પ્રમાણનો નિશ્ચય નહિ થાય ત્યાં સુધી પ્રમાણ પ્રમાણરૂપે અનિશ્ચિત હોવાથી પ્રમાણલક્ષણનો નિશ્ચય કરાવી નહિ શકે. તેમ જ પ્રમાણ દ્વારા પ્રમાણલક્ષણનો નિશ્ચય નહિ થાય ત્યાં સુધી પ્રમાણલક્ષણરૂપે અનિશ્ચિત પ્રમાણલક્ષણ પ્રમાણનો નિશ્ચય નહિ કરાવી શકે. આમ અન્યોન્યાશ્રય-ઈતરેતરાશ્રયદોષ પ્રથમ (૧) વિકલ્પમાં સ્પષ્ટ છે. જો અન્ય પ્રમાણ દ્વારા પ્રમાણલક્ષણનો નિશ્ચય કરવા સ્વરૂપ અવાન્તર બીજો (૨) વિકલ્પ માન્ય કરવામાં આવે તો અનવસ્થા દોષ આવશે. કારણ કે પ્રમાણલક્ષણનો નિશ્ચય કરાવનાર પ્રમાણાન્તરનો પ્રમાણરૂપે નિશ્ચય કરવા માટે ફરીથી અન્ય પ્રમાણની જરૂર પડશે. વળી, તેનો પ્રમાણરૂપે નિશ્ચય કરવા માટે અન્ય નવા પ્રમાણની જરૂર પડશે. આમ આ આવશ્યકતાનો અંત જ નહિ આવે. આમ મૂળભૂત વિકલ્પ (A) બરાબર નથી. હું ૨. ! જો મૂળભૂત બીજો વિકલ્પ (B) સ્વીકારવામાં આવે કે અન્ય પ્રમાણ દ્વારા અનિશ્ચિત એવું જ પ્રમાણલક્ષણ પ્રમાણનો પ્રમાણરૂપે નિશ્ચય કરવામાં ઉપયોગી થશે તો તો પ્રમાણાન્તર દ્વારા અનિશ્ચિત પ્રમાણલક્ષણને પ્રમાણનું નિશ્ચાયક માનવાની જેમ પ્રમાણલક્ષણ દ્વારા અનિશ્ચિત પ્રમાણ પણ અર્થનો નિશ્ચય કરાવી શકશે. તેથી જ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે અષ્ટક પ્રકરણમાં જણાવેલ છે કે “પ્રમાણ દ્વારા પ્રમાણલક્ષણનો નિશ્ચય કરીને તમે કહો છો કે પ્રમાણ દ્વારા તેનો નિશ્ચય કર્યા વિના જ કહો છો ? પ્રમાણ દ્વારા અલક્ષિત – અનિશ્ચિત એવા પ્રમાણલક્ષણથી પ્રમાણનો નિશ્ચય કરવામાં આવે તો પ્રમાણલક્ષણ વડે જેનો નિશ્ચય નથી થયો તેવા પ્રમાણથી પ્રમાણલક્ષણનો વિનિશ્ચય કઈ રીતે ૨. દસ્તાવળું ‘વિરદા' તિ : દસ્તાવજોરે ૪ . વિરાદીમા શુદ્ધ: Tra: ૨. દસ્તાવ ‘ગામનાથ ..' ત્યશુદ્ધ: Ta. I For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy