________________
જૈન ધર્મ
પુણ્ય પાર્જન થાય છે; જલપાન કરાવવાથી પુણ્ય થાય છે; વસ્ત્રનું દાન દેવાથી, આસન દેવાથી, ગુણીજનને દેખીને મનમાં હર્ષિત થવાથી, વાણુ દ્વારા ગુણીજનેની પ્રશંસા કરવાથી પુણ્ય પાર્જન થાય છે.
જે જીવે આ કાર્યો દ્વારા પુણ્યોપાર્જન કર્યું છે, તે આ સંસારમાં અનેક પ્રકારનાં ફળાને ભેગવે છે, જેવાં કેઃ
શારીરિક સુખ મળવું, ઉચ્ચ ગોત્રને પ્રાપ્ત કરવું, મનુષ્યગતિ મેળવવી, દેવગતિ પામવી, પાંચે ઈન્દ્રિયો સુંદર રીતે મળવી, શરીરના બધાય અંગોપાંગ સુંદર મળવા, શરીર પણ જેવું જોઈએ તેવું જ–ને વધારે ભારે અને ન વધારે હલકું-પામવું, રૂપ-લાવણ્ય સુંદર મળવાં, શરીરમાં તેજસ્વીપણાને પામવું, સારી ગતિ મળવી, મસ્તકાદિ અવયવો પણ સુંદર મળવા, સારું સૌભાગ્ય પ્રાપ્ત થવું, સુંદરમધુર સ્વર મળ, લેકમાં આદરણીય થવું, દુનિયામાં ખૂબ નામ મેળવવું, બહુ મોટા મહાત્મા થવું ઈત્યાદિ અનેક પ્રકારથી સારામાં સારી સામગ્રીઓ મળવી એ પુણ્યનું પરિણામ છે.
આ વાત તે પહેલાં જ કહી દેવામાં આવી છે કે, પુણ્ય શુભ કર્મોનું જ નામાન્તર છે. સારી સારી જે જે વસ્તુઓ મળે છે, તે પુણ્યથી જ મળે છે. પરંતુ એ ભૂલવું ન જોઈએ કે, પુણ્યને પણ નાશ કરવાથી મોક્ષ મળે છે, અર્થાત્ પુણ્ય એ પણ એક બેડી છે. માની લઈએ કે એ બેડી સેનાની છે. સોનાની હેાય કે લોઢાની, બન્ધન તે અવશ્ય છે. આત્માનું કામ તે બન્ધન તેડવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org