________________
જૈન ધમ
[૨૪] પુણ્ય
આ સંસારમાં મનુષ્ય જન્મ ધારણ કરીને બે પ્રકારની ક્રિયાઓ કરે છે ઃ એક શુભ અને ખીજી અશુભસારી અને ખરાબ. સંસારની જે વિચિત્રતા દેખાય છે અર્થાત્ કાઈ સુખી, કાઈ દુઃખી, કાઈ રાજા, કાઈ રહેંક, કાઈ સ્વામી, કાઈ સેવક, કાઈ સેંકડાનુ પાલન કરે છે, કાઈ પેાતાનુ પણ પેટ ભરી શકતા નથી, કાઈ શરીરથી હુંમેશાં નીરાગી રહે છે, કાઈ મહેનત વિના જ પેાતાના કાર્ટીમાં સફળતા મેળવે છે, તા કાઈ હાર પ્રયત્ન કરવાં છતાં નિષ્ફળ ને નિષ્ફળ જ થાય છે—સ'સારની આ બધી વસ્તુએ જેના પરિણામથી થાય છે તેને પુણ્ય અને પાપ કહે છે.
63
મનુષ્ય મન, વચન અને કાયાથી જે કઈ પણ ક્રિયા કરે છે, તેના પરિણામસ્વરૂપ શુભ અને અશુભ ક ઉત્પન્ન થાય છે, તેનું નામ છે પુણ્ય અને પાપ. સુંદર શરીર, ધન, પુત્ર, પરિવાર, આબરૂ આદિ જે જે ચીજો મળે છે તે બધી શુભ કર્મોથી મળે છે; અને તેનુ* નામ છે પુણ્ય ’. આત્માને પવિત્ર કરે તે · પુણ્ય ’. જીવ નવ પ્રકારનાં કાર્યોથી પુણ્ય મેળવે છે: ૧. અન્ન આપવાથી, ૨. પાણી આપવાથી, ૩. સ્થાન આપવાથી, ૪. શય્યા-પથારી આપવાથી, ૫. વજ્ર આપવાથી, ૬. મનના શુભ સંકલ્પથી— વ્યાપારથી, ૭. વાણીના શુભ સંકલ્પથી, ૮. કાયાના શુભ સકલ્પથી અને ૯. દેવ-ગુરુને નમસ્કાર કરવાથી. સાધુ, સન્ત અથવા દીન-દુ:ખિયાને અન્ન દેવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org