________________
જૈન ધર્મ
૭૯
- ૩. આકાશસ્તિકાય-આકાશ” અર્થાત્ જે અવકાશ દે–જગ્યા આપે એનું નામ છે આકાશ. આ આકાશના બે વિભાગ છેઃ ૧. લેકાકાશ અને ૨. અલકાકાશ.
આકાશ” જેવા વ્યાપ્ત પદાર્થના બે વિભાગ બતાવવાને હેતુ ઉપર બતાવેલા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના બે પદાર્થો છે–અર્થાત જ્યાં સુધી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના બે પદાર્થો છે, ત્યાં સુધીનું આકાશ લેકાકાશ કહેવાય છે. અને જ્યાં તે બે પદાર્થોનું અસ્તિત્વ જ નથી, તે અલકાકાશ કહેવાય છે. જેનશાસ્ત્રોમાં કહ્યું છે કે, સમસ્ત કર્મોને ક્ષય કરીને જે જીવ આ સંસારથી મુક્ત થાય છે, તે ઉર્ધ્વ ગતિ કરીને લેકાગ્રમાં જઈને સ્થિર થાય છે, એ જ કારણ છે કે લોકાગ્ર સુધી જ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના પદાર્થો છે, તેનાથી આગળ નથી અને તેથી તેની ગતિ પણ નથી. પરિણામે એ નક્કી થયું કે, એકાકાશમાં ન કોઈ જીવ છે. અને નકાઈ પરમાણુ-પુગલ છે–અર્થાત “આકાશ” સિવાય બીજી કોઈ પણ વસ્તુ નથી.
- યદિ “ધર્માસ્તિકાય” અને “અધર્માસ્તિકાયના કારણથી આકાશના આ બે વિભાગ “કાકાશ” અને “અલકાકાશ” ન માનવામાં આવતે તે સમસ્ત કર્મોને ક્ષય કરી સંસારથી મુક્ત થનારા આત્માની ગતિ ક્યાં જઈને અટકતી, તેને નિર્ણય થઈ શકત નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org