________________
જૈન ધર્મ
૭૫
પર્યાપ્તિ એક શક્તિવિશેષનું નામ છે. જે શક્તિથી આહાર ગ્રહણ કરાય તે આહાર પર્યાપ્તિ, જે શક્તિથી. શરીરની રચના થાય, તે શરીર પર્યાપ્તિ. આ પ્રકારે બધી શક્તિઓ સમજવી. જે જીવોને આ યે શક્તિઓ અપૂર્ણ હોય, તે અપર્યાપ્તા અને પૂર્ણ હોય તે પર્યાપ્તા કહેવાય છે.
સ્થાવર જીવોમાં પ્રારંભની ચાર– ૧. આહાર, ૨. શરીર, ૩. ઈન્દ્રિય, ૪. શ્વાસેવાસ–પર્યાપ્તિ હોય છે.
બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય અને ચાર ઈન્દ્રિયવાળા. જીવોને મનને છોડીને, પાંચ પર્યાપ્તિ હોય છે.
પંચેન્દ્રિય જીના બે ભેદ છેઃ ૧. સંજ્ઞી પંચેન્દ્રિય અને ૨. અસંજ્ઞી પંચેન્દ્રિય. સંજ્ઞા કહે છે મનને, જેને
મન” નથી હોતું, તેને અસંશી કહે છે. અસંજ્ઞી પંચેનિયને પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિયને છ પર્યાપ્તિઓ હોય છે.
જૈન શાસ્ત્રોમાં આ જીવોના ભેદાનભેદેનું બહુ જ સૂકમતાથી વર્ણન કરેલું છે. સ્થાવર અને બસ બંનેના. ૧૪ ભેદ પણ બતાવેલા છે. પ૬૩ ભેદ પણ દેખાડેલા છે, અને અનન્તભેદ પણ કહેલા છે. મધ્યમ સ્થિતિને. જે ૫૬૩ ભેદ બતાવેલા છે તે આ પ્રકારે છે –
૪૮ ભેદ તિયચના, ૧૪ નારકીના, ૩૦૩ મનુષ્યના અને ૧૯૮ ભેદે દેવતાના બતાવેલા છે–બધા મળી પ૬૩ ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org