________________
જૈન ધર્મ
પોતાના સ્વરૂપમાં આવવાથી કઈ ભેદ નથી રહેતા. સંસારી જીવો ભિન્ન ભિન્ન અવસ્થાના અને સ્વરૂપના છે, તેનું કારણુ કર્યું છે—તેના ઉપર લાગેલાં આવરણ છે.
હવે જે સ’સારી જીવે છે, તેના ખે ભેદ છે : ૧. સ્થાવર અને ૨. ત્રસ.
193
સ્થાવર તે જીવે છે, કે જેને કેવળ શરીર જ હાય છે. જો કે તેમાં હલન-ચલનની ક્રિયા પ્રત્યક્ષરૂપે દેખવામાં નથી આવતી, છતાં તેમાં આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ (ગ્રહણ કરવાની શક્તિ) સંજ્ઞા જોવામાં આવે છે. આ સ્થાવરના પાંચ ભેદ છે: ૧. પૃથ્વીકાય, ૨. અપકાય, ૩. તેજસ્કાય, ૪. વાયુકાય અને ૫. વનસ્પતિકાય. આ વૈજ્ઞાનિક જમાનામાં તે સૂક્ષ્મદર્શી કાદિ યંત્રો દ્વારા પૃથ્વી (માટી આદિ), પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં જીવ-આત્મા હેાવાનુ પ્રત્યક્ષ કરી બતાવાયુ છે.
ત્રસજીવ તે છે, જેને બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયા હાય છે, જે સ્વય' હરીફરી શકે છે.
કૃમિ, ગંડાસા, જળા, શ‘ખ, કાડા વગેરે બે ઇન્દ્રિયવાળાં છે. કીડી, જૂ, મકાડા, માંકડ, ઈયળ, ધિમેલ, વગેરે ત્રણ ઇન્દ્રિયવાળાં છે. માખી, ભખા, વીંછી, ખગાઈ વગેરે ચાર ઇન્દ્રિયવાળાં છે. મનુષ્ય, પશુ, પક્ષી, માલાં, દેવતા અને નારકી—આ બધા જીવા પાંચ ઇન્દ્રિયવાળાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org