________________
જૈન ધર્મ
[૧૮].
ગૃહસ્થાનું દિનકૃત્ય જૈન ધર્મ કહે છે કે ગૃહસ્થાશ્રમ એક એ આશ્રમ છે, કે જેના પર બધા આશ્રમોનો આધાર છે. પવિત્ર ગૃહસ્થાશ્રમી ઉત્તમ અને સરકારી સંતતિ ઉત્પન્ન કરી શકે છે, અને તે સંતતિ બ્રહ્મચર્યાશ્રમનું સારી રીતે પાલન કરી શકે છે. ભુક્તભોગી, વિદ્વાન અને સચ્ચરિત્રશીલ ગૃહસ્થ સનપ્રસ્થ આશ્રમમાં જઈ સમાજની સેવા ઠીક રીતે કરી શકે છે, અને તે સંન્યસ્ત આશ્રમમાં જઈને ઉત્તમ ચારિત્રધારી થઈ સ્વ પર કલ્યાણ સાધી શકે છે. એટલા જ માટે ગૃહસ્થાશ્રમ શુદ્ધ અને પવિત્ર હે જઈએ—અર્થાત ગૃહસ્થોએ પણ પિતાનું દિનકૃત્ય એવું રાખવું જોઈએ કે જેથી આલેક અને પરલોક બંને સુધરે.
બ્રાહ્મમુહૂર્તમાં જાગવું, ઈશ્વરનું ધ્યાન-પ્રાર્થના કરવી, સવારની સંસ્થા (જેને જૈનધર્મમાં પ્રતિક્રમણ કહે છે) કરવી, દેવદર્શન, ગુરુવંદન, ગુરુને ઉપદેશ સાંભળો,
૧. બ્રાહ્મમુહૂર્ત તે સમય છે જ્યારે રાત્રિની ૪ ઘડી (૧ કલાક) બાકી રહે છે.
૨. પ્રતિક્રમણને અર્થ છે–પાપથી પાછા હઠવું કરેલાં પાપો પશ્ચાત્તાપ અનેક્ષિવિષ્યમાં પાપ ન કરવાં માટે સાવધાન રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org