________________
४८
જૈન ધર્મ
દિવસે દેશાવકસિ વ્રતનું પાલન કરવા માટે બે કેસ, પાંચ કેસ અથવા ઘરથી બહાર ન જવું; અથવા પ-૭ કલાક સુધી એક જ સ્થાને બેસીને જ્ઞાન–ધ્યાન કરવું, ઊઠવું નહિએવી પ્રતિજ્ઞા કરવામાં આવે તેને “દેશાવકાસિક વત' કહે છે.
પ્રથમનાં શૂલપ્રાણાતિપાત વિરમણ વ્રતાદિ પાંચ અણુવ્રતમાં જે નિયમ કરવામાં આવ્યું છે, તેને પણ ચાર માસ, એક માસ, વીસ દિવસ, અહેરાત્રિ, એકરાત્રિ–એમ સંક્ષેપ પણ આ વ્રતને અનુસાર કરી શકાય છે.
૧૧. પૌષધ વતઃ–ધર્મને જે પુષ્ટ કરે એનું નામ પૌષધ. ૧૨-૨૪-૪૮ અથવા જેટલી ઈચ્છા હોય તેટલા કલાકને માટે સાંસારિક પ્રવૃત્તિઓને છેડી કેવળ સાધુવૃત્તિથી ધર્મસ્થાનમાં બેસી ધર્મક્રિયામાં આરૂઢ રહેવું એ પૌષધવત છે. જેટલા સમયને પૌષધ હેય તેટલા સમય સુધી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાલન કરવું. સ્નાન, તેલમર્દન વગેરે કોઈ પ્રકારને શંગાર ન કર. વનસ્પતિ, કાચું પાણી આદિ સચિત્ત (જીવવાળા) પદાર્થને ન અડકવું. જેમાં હિંસા થાય એવી ક્રિયા ન કરવી. અને ઉપવાસ, આયંબિલ, કે એકાસણું જેવી
૧. ઉપવાસ–સર્વથા આહારનો ત્યાગ.
૨. આયંબિલ–દિવસે એક જ વખત એક જ સ્થાન પર બેસીને ભોજન લેવું; જેમાં ઘી, દૂધ અને દહીં, ગોળ, તેલ અને તળેલી વસ્તુઓ તથા મુખવાસ સોપારી વગેરે, તથા અન્ય કાઈ સ્વાદિષ્ટ ચીજ ન ખાવી. કેવળ લુખી રોટલી અને ફીકી દાળ વગેરે લેવું. ગરમ પાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org