________________
જૈન ધર્મ
૪૧
તે વખતે તે અપરાધીને દંડ કરવા, સજા કરવી, તે ન્યાયાધીશને માટે જરૂરી છે. એ જ રીતે કોઈ દુષ્ટ આદમી કેાઈ બહેન–બેટી ઉપર અત્યાચાર કરે છે, ચોરી કરે છે; તે તે સમયે અપરાધી ગણાય છે અને તે અપરાધની સજા કરવી ગૃહસ્થને માટે અનુચિત સમજાતી નથી.
૨. સ્થલ મૃષાવાદવિરમણ વ્રત–થવું તે એમ જોઈએ કે સૂક્ષ્મથી સૂક્ષ્મ અસત્ય પણ ન બોલવું જોઈએ, પરંતુ જે લેકે એટલું પાલન કરી શકતા નથી, તેને માટે સ્થૂલ મૃષાવાદ–જૂઠાને ત્યાગ દેખાડે છે. શાસ્ત્રકાર કહે છે, અને અનુભવથી જણાય છે કે અન્ય વ્રતનું પાલન કરવાનું જેટલું કઠિન નથી તેનાથી કેટલાયે ગણું અધિક કઠિન આ વ્રતનું પાલન કરવાનું કામ છે. ક્રોધ, લોભ, ભય અને હાસ્ય–આ ચાર કારણથી મનુષ્ય જૂઠું બોલે છે; અને આ ચાર વાત એવી છે કે જેને છોડવી બહુ કઠિન છે. એટલા માટે મનુષ્ય બહુ સાવધાન રહે અને પિતાના જીવનની કંઈક કિંમત સમજે, ત્યારે જ તે જૂઠથી બચી શકે છે. જે ગૃહસ્થ સર્વથા જૂઠને ત્યાગ નથી કરી શક્તા, તેને પણ આ પાંચ વાતમાં તે કદી જૂઠું ન બેસવું જોઈએ.
(૧) વરકન્યા સંબંધી –કોઈ યુવક-યુવતીને વિવાહ સંબંધ થતું હોય, ત્યારે પુરુષમાં અથવા સ્ત્રીમાં જે જે પ્રકારના ગુણદોષ હાય, શરીર સંબંધી રંગ-ઢંગ, અંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org