________________
૩૬
જૈન ધર્મ
(૧૫) "
ગૃહસ્થધામ જૈન ધર્મમાં જેમ સાધુધર્મ' બતાવ્યો છે, તેમ ગૃહસ્થધર્મ પણ બતાવ્યું છે. સાધુ હોય કે ગૃહસ્થ, પણ ધર્મનું આચરણ કર્યા વિના કોઈનું કલ્યાણ થવાનું નથી, એ નિર્વિવાદ છે. બેશક, જે સાધુને ધર્મ છે, તે જ ગૃહસ્થોને ન હોઈ શકે, કેમકે બંનેની મર્યાદાઓ ભિન્ન છે. સાધુ તે સંપૂર્ણ દુનિયાદારીને છાંડી દે છે, એટલા માટે તેમને ન દ્રવ્યથી મતલબ છે કે ન ઘરબારથી : ન સ્ત્રીથી મતલબ છે કે ન પુત્રપરિવારથી. એટલા માટે હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ આદિ તેમને માટે સર્વથા ત્યાજ્ય છે, પરંતુ ગૃહસ્થને બધું ય નભાવવું પડે છે– ચલાવવાનું હોય છે. એટલે તેમના માટે કંઈ મર્યાદા તે હેવી જ જોઈએ. જૈન શાસ્ત્રમાં ગૃહસ્થને ધર્મ સાધુઓથી ભિન્ન બતાવ્યો છે.
- જે લેકે “જૈનધર્મ પાળે છે, તેને જૈન શાસ્ત્રોમાં શ્રાવક અને શ્રાવિકા કહ્યાં છે. એની મતલબ એ નથી કે કેવળ વાણિયા જ જૈનધર્મ પાળે. કઈ પણ જાતિને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શક હેય-કઈ પણ મનુષ્ય જૈન ધર્મને પાળવાને અધિકારી છે. અને તે પણ શ્રાવક-શ્રાવિકા કહી શકાય છે. ભગવાન મહાવીર દેવના મુખ્ય દસ શ્રાવકાનું વર્ણન શાસ્ત્રોમાં આવે છે. એ દશમાં કેટલાક કુંભાર હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org