________________
જૈન ધર્મ
(૧૪)
ચારિત્ર-સંયમ ' ચારિત્ર કહેવાય છે સંયમને, ત્યાગને, ઈન્દ્રિયના નિગ્રહને, પવિત્ર આચરણને સાધુઓનાં પાંચ મહાવ્રત, દશ પ્રકારને યતિધર્મ, સત્તર પ્રકારને સંયમ, ગૃહસ્થનાં બાર વ્રતો--આ બધું ચારિત્રમાં આવી જાય છે.
ચારિત્રના મુખ્ય બે ભેદ માનવામાં આવ્યા છે – સવથી અને દેશથી. અર્થાત સર્વથા ત્યાગવૃત્તિ એ સવથી ચારિત્ર અને અંશથી ત્યાગવૃત્તિ એ દેશથી ચારિત્ર કહેવાય છે.
સર્વથા સંયમ (ચારિત્ર) સાધુઓને માટે છે, અને દેશથી–અમુક હદ સુધી ગૃહસ્થને માટે છે. સંક્ષેપથી કહીએ તે–હિંસા, જૂઠ આદિ જેટલી અશુભ પ્રવૃત્તિઓ છે, તે પ્રવૃત્તિઓથી દૂર રહેવું, તેનું નામ છે ચાસ્ત્રિ અથવા સંયમ. આ સંયમના સત્તર ભેદે જૈન શાસ્ત્રોમાં બતાવ્યા છે.
જેના દ્વારા કર્મ ઉપાર્જન કરાય તે આશ્રવ છે. એવા પાંચ આશ્રવ છે: ૧. હિંસા, ૨. જૂઠ, ૩. ચેરી, ૪. અબ્રહ્મ, પ. પરિગ્રહ : આ પાંચ આશ્રવ છે. તેને ત્યાગ કરવો જોઈએ.
૬. સ્પર્શન (ચામડી), ૭. રસન (જિલ્લા), ૮. ધ્રાણુ (નાસિકા), ૯. ચક્ષુ (આંખ) અને ૧૦. શ્રોત્ર (કાન) : આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org