SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ ૨૩ જૈનધર્મ કહે છે કે ઈશ્વર એક છે અને અનેક પણ છે. સંસારથી જે જીવો પિતાનાં કર્મોનો ક્ષય કરીને મેક્ષમાં જાય છે, તેઓ વ્યક્તિ રૂપે જાય છે. એટલા માટે ઈશ્વર–પરમાત્મા અનેક છે. પરંતુ સંસારથી મુક્ત થયા પછી સ્વરૂપથી તે બધા આત્મા એકરૂપ થઈ જાય છે, તે અપેક્ષાએ પરમાત્મા એક છે. ઈશ્વર ફરી અવતાર–જન્મ ધારણ કરતા નથી, કેમકે જન્મ-જન્માક્તરમાં જવાનું-અવતારને ધારણ કરવાનું જે કારણ છે, તે કર્મ છે, અને ઈશ્વર–પરમાત્મા થયા પછી કઈ કર્મ તે રહેતું નથી, અર્થાત્ સમસ્ત કર્મોના આવરને ક્ષય થઈ જવાથી આ આત્મા પરમામા, બને છે. પછી તેમને જન્મ ધારણ કરવાની જરૂરત નથી. દેવને–ઈશ્વરને રાગ-દ્વેષનો અભાવ હોવાનું જણાવ્યું છે. શરીરને પણ અભાવ હેઈ ક્રિયાને પણ અભાવ હોય છે. જ્યારે રાગ-દ્વેષ નથી, તે ઇચ્છા નથી. ઈચ્છા નથી તો કઈ પણ કાર્યમાં પ્રવૃત્તિ નથી, એટલા જ માટે જૈન ધર્મ કહે છે કેઃ “ઈશ્વર કઈ ચીજને બનાવતો નથી, કોઈને સુખ-દુઃખ દત નથી, કોઈપણ કાર્યમાં દખલગીરી કરતું નથી. આ સંસારની જે ઘટમાળ ચાલી રહી છે તે સ્વાભાવિક જ છે, અથવા સંસારના જીવો જે સુખદુઃખ ભેગવી રહ્યા છે, તે પિતપતાના કર્માનુસાર છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy