________________
૧૨૨
જૈન ધર્મ
[૩૦]
૧૪ ગુણશ્રેણિ-ગુણસ્થાનક
અનાદિ કાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને જ્યાં સુધી તે મુક્ત ન થાય-કર્મોના આવરણથી મુક્ત ન થાય ત્યાં સુધી રાશી લાખ જીવનિમાં એને પરિબ્રમણ કરવાનું જ રહ્યું. આ સંસારથી મુકત થવા માટે કર્મોનાં આવરણને ક્રમશઃ ઓછાં કરવાં એ જરૂરી છે. જેમ જેમ કર્મોનાં આવરણે ઓછાં થતાં જાય, પાતળાં થતાં જાય, તેમ તેમ જીવ પિતાના સ્વરૂપમાં ઉજળા બનતા જાય છે. આવી રીતે આત્મા ક્રમશઃ પ્રકાશમાં આવતા જાય છે, અને શુદ્ધસ્વરૂપ-મુક્તાવસ્થાની નજીક પહોંચતા જાય છે, તેની જૈનશાસ્ત્રકારોએ ચૌદ શ્રેણિ બતાવી છે, જેને “ગુણસ્થાન કહેવામાં આવે છે–આત્માના ગુણેનું સ્થાન. ચૌદમા સ્થાને પહોંચનારે જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. આ ચૌદ ગુણસ્થાનકનાં નામ આ છે –
(૧) મિથ્યાત્વ, (૨) સાસાદન, (૩) મિત્ર, (૪) અવિરતિ સમ્યફદષ્ટિ, (૫) દેશવિરતિ, (૬) પ્રમત્તવિરતિ (૭) અપ્રમતવિરતિ, (૮) અપૂર્વકરણ, (૯) અનિવૃત્તિ, (૧૦) સૂક્ષ્મ સંપરાય, (૧૧) ઉપશાન્તમેહ, (૧૨) ક્ષીણમેહ, (૧૩) સંગી કેવલી, (૧૪) અગી કેવલી.
આ ચૌદ સ્થાનકેનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે – ૧. મિથ્યાષ્ટિમિથ્યાત્વ ગુણસ્થાન. જીવ અનાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org