________________
૧૨૦
જૈન ધર્મ
આત્માને કર્મોની ઉપાધિ લાગવાની નથી. કર્મોના આત્યંતિક સર્વથા અભાવનું નામ મોક્ષ છે; અને જીવ જે દુખાનુભવ કરે છે, તે કર્મોને કારણે કરે છે. પરંતુ જ્યાં કર્મોને અભાવ છે, ત્યાં દુઃખ શું હોય? એટલા માટે મેક્ષાવસ્થાનું સુખ એ જ આત્યંતિક–સર્વથા સુખ છે.
મોક્ષનું સુખ અનિર્વચનીય છે. તે ન કલમથી લખી શકાય છે અને ન વાણીથી કહી શકાય તેમ છે. આ સુખની કઈ ઉપમા નથી. તે અનુપમેય છે. આ સંસારમાં પણુ ઘણુયે એવી વસ્તુઓ છે જેની ઉપમા દઈ શકાય તેમ નથી. જેમ ઘી. સર્વ મનુષ્યો ઘી ખાય છે, પરંતુ ઘીને સ્વાદ કેના જેવું છે, એમ પૂછવામાં આવે તો કેઈ ઉપમા ન દઈ શકે, જ્યારે પ્રતિદિન અનુભવમાં આવનારી ચીજ માટે કોઈ ઉપમા દઈ શકતું નથી, તે
ક્ષને માટે કહેવું જ શું ? અપુનરાગમન :–
મેક્ષ પ્રાપ્ત કરનાર જીવનું ફરીથી આ સંસારમાં આગમન નથી, કેમ કે કર્મોનું સમસ્ત આવરણ જ્યારે દૂર થઈ જાય છે, ત્યારે જ મોક્ષાવસ્થા પ્રાપ્ત થાય છે. અને ભવભ્રમણનું કારણ તે કર્મ છે. જે કર્મ નથી તો ભવભ્રમણ નથી, જન્મ નથી, જરા નથી, મૃત્યુ નથી, શરીર નથી, ઇન્દ્રિય નથી, મન નથી. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે મેક્ષ કોઈ એવી ચીજ નથી કે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org