________________
જૈન ધર્મ
૧૧૯
તિક સુખ અથવા કૃત્રિમ સુખ અને સ્વાભાવિક સુખઆ સંસારમાં જીવ જે જે સુખોને અનુભવ કરે છે, તે ક્ષણિક સુખ છે, અથવા કૃત્રિમ સુખ છે. ક્ષણિક સુખ એટલા માટે કહેવાય છે કે, સુખને અનુભવ ક્ષણભર થયે જ નહિ અને તે પછી દુઃખને અનુભવ થાય છે. એ પ્રકારે સંસારનું સુખ કૃત્રિમ સુખ થાય છે. એટલા માટે કે આ સુખ સ્વાભાવિક સુખ નથી. દુઃખની ક્ષણિક નિવૃત્તિને જ સુખ માની લીધું છે. ભૂખની વેદના થતાં ભજન કરી લીધું, તેથી જ કહીએ છીએ કે સુખ થયું. શું સુખ થયું ? કેવળ વેદનાની નિવૃત્તિ થઈ. ગરમી લાગી ને કપડાં કાઢી નાંખ્યાં, તેથી માની લીધું કે સુખ થયું. હાથમાં લે , રાતભર નિદ્રા ન આવી, સવારે
ઓપરેશન” (operation) કરાવ્યું, પરુ કાઢી નાખ્યું. માન્યું કે હા...શ, સુખ થયું, આનંદ થયે. મનુષ્યને કામવર થયે, વિષયસેષને કર્યું, મનુષ્ય માન્યું કે આનંદ થ. શે આનંદ થયો ? પૂર્વ કાળમાં જે દુઃખ થયું હતું, તેની નિવૃત્તિ થઈ અથવા એક પ્રકારનું કૃત્રિમ સુખ થયું.
પરંતુ મેક્ષમાં એવું ક્ષણિક કે કૃત્રિમ સુખ નથી. મેક્ષાવસ્થા એ આત્માની સ્વાભાવિક અવસ્થા છે. સ્વાભાવિક અવસ્થાને આનંદ-સુખ તે કૃત્રિમ સુખ નથી, કેમ કે આત્માનું સ્વરૂપ જ સચ્ચિદાનંદમય છે. પિતાના સ્વરૂપને સ્વાભાવિક આનંદને જે અનુભવ છે; તે અપૂર્વ આનંદ છે, અપૂર્વ સુખ છે, કેમ કે મોક્ષ પ્રાપ્ત થયા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org