________________
૧૧૮
જૈન ધર્મ
થવાની સામગ્રી મળતી નથી-કદી નથી મળતી. તેથી જ તેની મુક્તિ નથી થતી. આવા જ જાતિભવ્ય કહેવાય છે. પરંતુ જે મોક્ષમાં જાય છે, તે ભવ્ય જ હોય છે, એમ “જૈનધર્મ' કહે છે. આત્મા એ જ પરમાત્મા :–
આત્માના મૂળ સ્વરૂપમાં અને પરમાત્મામાં કંઈ જ ફરક નથી. પરંતુ કર્મોનાં આવરણેથી યુક્ત હેવાથી આત્મા કહેવાય છે અને આવરણ દૂર થવાથી તે જ “પરમાત્મા ? કહેવાય છે. એટલા માટે “આત્મા એ જ પરમાત્મા” કહેવાની રૂઢિ પડી ગઈ છે. એક ઈશ્વર:
જેમ સંસાર અનાદિકાળથી છે, તેમ ઈશ્વર પણ અનાદિકાળથી છે. આ વાત દેવ પ્રકરણમાં કહેવામાં આવી છે. સિદ્ધાવસ્થા–મેક્ષાવસ્થામાં જે કોઈ પણ આત્મા જાય છે, તેમાં કઈ પણ પ્રકારને ભેદ નથી. તેમનું સ્વરૂપ એક જ છે, જ્યોતિમાં જતિ મળેલી છે, એટલા જ માટે ઈશ્વર એક કહેવાય છે. પરંતુ સંસારમાંથી જેટલા આત્મા મેક્ષમાં જાય છે, તેઓ વ્યક્તિગત જુદા જુદા છે, એ અપેક્ષાએ તેમને “અનેક” પણ કહી શકાય. વસ્તુતઃ મુક્તાવસ્થા એ એક એવી અવસ્થા છે કે જ્યાં કઈ પણ પ્રકારની જુદાઈ-ભેદભાવ નથી. મોક્ષનું સુખ:
સુખ બે પ્રકારનું છેઃ ૧ક્ષણિક સુખ અને ૨, આત્યં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org