________________
૧૧૪
જૈન ધર્મ નથી ચાહતાં; ઈત્યાદિ અનેક પ્રકારની વિચિત્રતાઓ દેખવામાં આવે છે. એ નામ કમ” નું પરિણામ છે, આને સ્વભાવ ચિત્રકાર જેવું છે. સારે ચિત્રકાર ચિત્રવિચિત્ર મનુષ્ય, દેવ આદિ બનાવે છે તેમ આ નામ કર્મ પણ અનેક વર્ણવાળા અંગ, ઉપાંગ, દેવ, મનુષ્ય આદિ રૂપ આ જીવનાં બનાવે છે.
૭. ગાત્ર કમ–અમુક જીવ અમુક કુળ–ત્રમાં ઉત્પન્ન થયે; એ જ કારણ છે કે, તેણે “ગેાત્ર કમ” એવા પ્રકારનું બાંધ્યું હતું. આને કુંભારની ઉપમા દીધી છે. અર્થાત કુંભાર માટીનાં વાસણ બનાવે છે. એક વાસણને ઉપયોગ કોઈ પ્રકારે તે બીજાને બીજી રીતે. એ જ પ્રકારે ગોત્ર કર્મના કારણે કોઈ ક્યાંય ઉત્પન્ન થાય તે કઈ બીજે ઉત્પન્ન થાય છે. એને બે ભેદ છેઃ ૧. ઉચ્ચ ગોત્ર અને ૨. નીચ ગોત્ર. ભલે, ક્રિયાથી ઉચ્ચ-નીચ સમજે કે કેઈ બીજા પ્રકારે સમજે, પણ ઉચ્ચ–નીચને ભેદ તે રહેશે જ. અને તેમાં જન્મ થવાનું કારણ આ “ગેાત્ર કમર છે.
૮. અન્તરાય કેટલાક મનુષ્ય પાસે દ્રવ્ય હોવા છતાં દાન નથી દઈ શકતા. પિતે સામે જ જોઈ શકે છે કે આ વ્યાપારમાં મને ફાયદો થશે, પરંતુ લાભ પ્રાપ્ત કરી શકતો નથી. ભેગવવાની, ખાવા-પીવાની વસ્તુઓ તૈયાર હોવા છતાં પણ તેને ભેગા કરી શકતા નથી. કપડાં–લતાં-આભૂષણ વગેરે અનેક ચીજો હેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org