________________
જૈન ધર્મ
૧૦૯
કાળથી છે અને તે આત્મા ઉપર રહેલી રાગદ્વેષની ચીકાશના કારણે છે. અનાદિકાળથી આત્માને રાગ-દ્વેષ લાગેલા છે. કોઈ સમયે આત્મા શુદ્ધ હતું, એમ ન કહી શકીએ, કેમ કે એમ કહેવાથી મુક્તાત્માને પણ રાગ-દ્વેષની ચીકાશ લાગવાની સંભાવના થશે. એટલા માટે આત્મા. અને તે પરની રાગ-દ્વેષની ચીકાશ અનાદિકાળથી છે અને તેથી કર્મનાં આવરણ તે પર લાગેલાં છે.
આત્મા ઉપર રાગ-દ્વેષનાં આવરણ ક્યારથી લાગ્યાં ? એ પણ કહી શકાય એમ નથી. કોઈ પણ એ નહિ કહી શકે કે, ખાણમાં માટી અને સેનું ક્યારે મળ્યાં ? એ. તે હમેશાંથી જ મળેલાં છે, પરંતુ પ્રયોગો દ્વારા સોનું અને માટી અલગ કરી શકાય છે. આ પ્રકારે આત્મા ઉપર લાગેલાં આવરણ કર્મ-રાગ-દ્વેષ અલગ કરી શકીએ છીએ. સોનું અને માટીને અલગ કરતાં તેનું સેનું રહે છે અને માટી માટી રહે છે. એવી જ રીતે કર્મ અને આ ત્મા જુદા હેવાથી આત્મા પિતાના મૌલિક શુદ્ધ સ્વરૂપમાં આવી જાય છે અને કર્મ અલગ થઈ. જાય છે.
આ ઉપરથી એ પણ નિશ્ચિત થાય છે કે “આત્મા” પહેલાં અને “ક” ” પછી, એમ પણ કહેવું ઠીક નથી, કેમ કે એમ કહેવાથી મુક્તાત્માને પાછું સંસારમાં આવવું પડે અને “ક” પહેલાં અને “આત્મા” પછી એમ કહેવાથી તે આત્માની ઉત્પત્તિ માનવી પડશે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org