________________
૧૦૬
જૈન ધર્મ
૩. વૈયાવૃત્ય–વૈયાવૃત્ય એટલે ભક્તિ. મેટા આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, જ્ઞાની, મુનિ–એવા ગુણવાનની આહાર, વસ્ત્ર આદિ ઉપયોગી વસ્તુઓથી ભક્તિ
કરવી.
૪. સ્વાધ્યાય (1) ભણવું–ભણાવવું, (૨) જે શંકા હોય તે ગુરુને પૂછવી, (૩) જે કંઈ યાદ હેાય તે ફરી ફરી સ્મરણમાં લાવવું, (૪) વાંચેલી વાતને એકાગ્ર ચિત્તે વિચારવી, (૫) ધર્મોપદેશ દેવ-ધર્મકથા કરવી–આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે.
૫. ધ્યાન-ધ્યાનનો અર્થ છે વિચારચિત્તના યોગથી–એકાગ્રતાથી વિચાર કરવો અથવા ચિત્તને રોકવું આ બે પ્રકારનું ધ્યાન કહેવાય છે. જૈનશામાં ચાર પ્રકારનું ધ્યાન કહેવાય છેઃ (૧) આ ધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન, (૪) શુકૂલધ્યાન.સંસાર સંબંધી –શરીર, ધન, માલ, મિલ્કત, વ્યાપાર-રોજગાર, પુત્ર-પરિવાર–આ વાતનું જે ધ્યાન થાય છે, તે આત અને રૌદ્ર દયાન છે. આ બે પ્રકારનાં ધ્યાન તપરૂપે નથી. કહેવાતાં, કેમ કે તેનાથી કર્મ છૂટતાં નથી, બલ્ક વધે છે, ધમ ધ્યાન અને શુકૂલધ્યાન એ આત્મશુદ્ધિનાં કારણ છે. એટલા જ માટે આ બે ધ્યાન “તપ” કહેવાય છે. દાન, શીલ, તપ, ભાવ, પરોપકાર, દયા વગેરે સંબંધી વિચાર કરવો, એ ધર્મધ્યાન છે. શુકુલધ્યાન તે બહુ જ ઉચ્ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org