________________
જૈન ધર્મ
૧૦૩
સાધુઓથી નાને બનાવવામાં આવે, તેને “સાતિચારછેદ્યાપસ્થાપનીય' કહે છે. વળી એક તીર્થ કરના સાધુ બીજ તીર્થકરના શાસનમાં–આજ્ઞામાં પ્રવેશ કરે, તે સમયે તે મુનિએ ફરીથી ચારિત્ર ઉચરાવવું પડે છે. જેમ ચાર, મહાવ્રત ધારણ કરનાર પાર્શ્વનાથના સાધુઓ, પાંચ મહાવ્રત ધારણ કરનાર મહાવીર સ્વામીના શાસનમાં પ્રવેશ કરે તે તેને પણ છેદેપસ્થાપનીય ચારિત્ર કહે છે.
૩. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ૪. સૂક્ષ્મ સં૫રાય ચારિત્ર ૫. યથાખ્યાત ચારિત્ર
આ ત્રણ ચારિત્રો બહુ જ ઉરચ કોટિની તપસ્યા તથા બહુ ઉચ્ચ કોટીને આત્માની સ્થિતિમાં પ્રાપ્ત થાય છે. વર્તમાનકાળમાં પ્રથમના બે ચારિત્ર ધારણ કરનાર સાધુઓ હોય છે. પાછળના ત્રણ ચારિત્રવાળા નથી દેતા. કેમ કે એવા પ્રકારનું શારીરિક તેમ જ માનસિક બળ નથી.
આ પ્રકારે ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવનાઓ, ૨૨ પરિષહ અને ૫ ચારિત્ર—એમ પ૭ ભેદે સંવરના થાય છે, અર્થાત્ સત્તાવન પ્રકારે કર્મોને આવતા રોકી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org