________________
જૈન ધર્મ
૧૦૧ દુઃખી થવું ન જોઈએ. તે લાભ–પરિષહ સહન કરવો જોઈએ.
૧૬. પગ-પરિષહ–જે સમયે કઈ પણ પ્રકારની વ્યાધિ ઉત્પન્ન થાય, તે સમયે હાય-પીટ ન કરતાં તેને સમભાવપૂર્વક સહન કરીને નિર્દોષ ઉપચાર (દવા) કરતાં તે સહન કરવી અને એવું વિચારવું જોઈએ કે આ મારા કર્મનું ફળ છે.
૧૭. તૃણ-સ્પશ–પરિષહ-ક્યાંય બેસતાં-ઊઠતાં, ચાલતાં-ફરતાં તથા સૂતાં ઘાસને અગ્રભાગ શરીરે કાય ત્યારે તે કષ્ટ સહન કરવું જોઈએ.
૧૮. મલ–પરિષહ–હાથ, પગ અથવા શરીરના ઉપર મેલ ચઢી ગયું હોય તે પણ તે પર ઘણું ન કરતાં સહન કર.
૧૯, સત્કાર-પરિષહ–વધારે આદર-સન્માન થતું હોય, લેકે સ્તુતિ કરતા હોય, તે તેથી ખુશ ન થવું અને એ વિચાર કરવો કે આ મારું સન્માન નથી પરંતુ ત્યાગનું સન્માન છે; વળી લેકે આદર ન કરે તો તેથી ખેદ પણ ન કરવો.
૨૦૦ પ્રજ્ઞા-પરિષહ–બુદ્ધિ સારી હોય, બહુશ્રુત હેય અને લેકેની શંકા-નિવારણ કરવાથી કે પ્રશંસા કરે છે તેથી પિતાની બુદ્ધિનું અભિમાન ન કરતાં નમ્રતા ધારણ કરવી જોઈએ અને પોતાનાથી ઉત્કૃષ્ટ બહુશ્રુતો પ્રત્યે દૃષ્ટિ રાખી વિચાર કરે જોઈએ કે હું શું છું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org