________________
૧૦૦
જૈન ધર્મ
ન રાખતાં ગ્રામાનુગ્રામ ભ્રમણ કરવું અને આ ભ્રમણમાં ઉત્પન્ન થતાં કષ્ટ સહન કરવાં.
૧૦. નિષદ્યા–પરિષહ-નિષદ્યા એટલે રહેવાનું સ્થાન. જે સ્થાનમાં સ્ત્રી, પશુ કે નપુંસક ન રહેતાં હોય એવા સ્થાનમાં રહેવું અને એમાં કઈ ઉપસર્ગ–પરિષહ આવે, તે સહન કરવો.
૧૧. શયા-પરિષહ-સૂવાની જગા ઊંચી, નીચી, ધૂળ-કાંકરાવાળી ગમે તેવી હોય, પરંતુ મનમાં ગ્લાનિ ન લાવતાં તે કષ્ટ સહન કરવું.
૧૨. આક્રોશ-પરિષહ-કઈ મનુષ્ય ગમે તે ક્રોધ કરે, તિરસ્કાર કરેઅપમાન કરે, તે પણ તે સહન કર.
૧૩. વધ-પરિષહ કાઈ મનુષ્ય શારીરિક યાતનાઓ આપે, મારે, દુઃખ આપે, તે વખતે એ વિચાર કરો કે આ શરીર મારું નથી અને અંતે તો તે નાશ પામનાર છે. જે દુઃખ મને પીડી રહ્યું છે, તે મારાં કર્મોનું ફળ છે, એવી ભાવના કરીને સહન કરે.
૧૪. યાંચા–પરિષહ કેઈથી કઈ વસ્તુ માંગવી; એ શરમની વાત છે, પરંતુ ચારિત્ર રક્ષણ માટે વસ્ત્ર, પાત્ર અને અન્નની યાચના ગૃહસ્થોથી કરવી જોઈએ. આ એક પરિષહ છે તે સહન કરવો.
૧૫. લાભ-પરિષહ–-કઈ વસ્તુની જરૂરત હેય અને તે ગૃહસ્થાથી માગવા છતાં પણ ન મળે, તે તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org